)
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે ખાસ ગહન સમીક્ષા (SIR) ને લઈને ચાલી રહેલી લડાઈ આગળ વધી શકે છે. સૂત્રો પ્રમાણે વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. તેને લઈને બેઠકમાં ચર્ચા પણ થઈ છે. આ સાથે INDIA ગઠબંધનના નેતા સોમવાર (18 ઓગસ્ટ) એ સાંજે ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારને લઈને ચર્ચા પણ કરી શકે છે.
કોંગ્રેસ સહિત વિપક્ષે બિહારમાં SIR નો વિરોધ કર્યો હતો. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ મતની ચોરી કરી રહ્યું છે અને તેમાં ચૂંટણી પંચ તેનો સાથ આપી રહ્યું છે. આ મામલો હવે આગળ વધવાનો છે. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને જરૂરી બેઠક યોજાઈ, પરંતુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
પત્રકાર પરિષદમાં શું બોલ્યું ચૂંટણી પંચ
ચૂંટણી પંચે રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે મત ચોરીના આરોપો ખોટા છે અને તેનાથી ન પંચ ડરે છે ન મતદાતા. ચૂંટણી પંચે લોકોને અપીલ કરી કે તે પોતાના મતદાનના અધિકારનો જરૂર ઉપયોગ કરે. ચૂંટણી પંચે આ પહેલા રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરાવા માંગ્યા હતા.
સુપ્રીમ કોર્ટે SIR મામલામાં આપી દખલ
બિહારમાં SIR દરમિયાન વોટર લિસ્ટમાંથી આશરે 65 લાખ લોકોના નામ હટાવી દેવામાં આવ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે બધા નામ જાહેર કરે. ચૂંટણી પંચે આદેશ પ્રમાણે બધા નામ વેબસાઇટ પર અપલોડ કર્યાં છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરી શકે છે વિપક્ષ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે ભાજપના અનુભવી નેતા હોવાની સાથે-સાથે લાંબા સમયથી સંઘ સાથે જોડાયેલા છે. વિપક્ષના નેતા સોમવારે સાંજે આ મુદ્દે બેઠક કરી શકે છે. ત્યારબાદ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.