Corona Update: કોરોનાના નવા કેસમાં 5.6% નો ઘટાડો, હજું પણ દેશમાં 3 લાખ એક્ટિવ કેસ

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 84,89,29,160 ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Update: કોરોનાના નવા કેસમાં 5.6% નો ઘટાડો, હજું પણ દેશમાં 3 લાખ એક્ટિવ કેસ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના 29 હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે ગઈ કાલના આંકડા જોઈએ તો નવા કેસમાં 5.6 ટકાનો ઘટાડો થયો છે. 24 કલાકમાં 290 લોકોના કોરોનાથી મોત થયા છે. એક દિવસમાં કોરોના રસીના 71 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 

એક દિવસમાં કોરોનાના 29 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 29,616 કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના 3,01,442 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,046 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,28,76,319 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાથી રિકવરીનો રેટ હાલ 97.78% છે. 

— ANI (@ANI) September 25, 2021

એક દિવસમાં 290 દર્દીના મોત
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 290 દર્દીઓના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 4,46,658 પર પહોંચી ગયો છે. જેમાંથી 127 મોત કેરળમા નોંધાયા છે. નવા કેસની વાત કરીએ તો દેશભરમાં નોંધાયેલા કુલ કેસમાંથી 17,983 કેસ કેરળમાં નોંધાયા છે. 

એક દિવસમાં રસીના 71 લાખથી વધુ ડોઝ
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 84,89,29,160 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,04,051 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news