Corona Update: કોરોનાથી થતા મોતનો આંકડો વળી પાછો વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ 

દેશમાં આમ તો કોરોનાની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે.

Corona Update: કોરોનાથી થતા મોતનો આંકડો વળી પાછો વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ 

નવી દિલ્હી: દેશમાં આમ તો કોરોના (Coronavirus) ની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે. આજે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 3921 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઈ કાલે એક દિવસમાં 80 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3303 લોકોના મોત થયા હતા. 

મૃત્યુઆંકમાં પાછો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,95,10,410 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,73,158 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,19,501 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 2,81,62,947  થયો છે. જો કે કોરોનાથી થતા મોતનો આંકડો ફરી એકવાર વધ્યો છે જે ચિંતાજનક છે. 24 કલાકમાં 3921 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3,74,305 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25,48,49,301 લોકોનું રસીકરણ કરાયું છે. 

Total cases: 2,95,10,410
Total discharges: 2,81,62,947
Death toll: 3,74,305
Active cases: 9,73,158

Vaccination: 25,48,49,301 pic.twitter.com/e9hlLVsYPU

— ANI (@ANI) June 14, 2021

એક દિવસમાં 14 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે 14,92,152 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો 37,96,24,626 પર પહોંચી ગયો છે. 

— ANI (@ANI) June 14, 2021

ગુજરાતમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ
ગઈ કાલે રાજ્ય આરોગ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં નવા 455 કોરોના કેસ નોંધાયા. જ્યારે 1063 દર્દીઓ રિકવર થયા. કોરોનાથી એક દિવસમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 8,20,321 થયો છે. જ્યારે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 8 લાખ ઉપર પહોંચી ગઈ છે. 9997 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ રાજ્યમાં 10,249 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news