Watch Viral Video: પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ લઈને ઉડી ગયું ગરૂડ? લોકોના પેટમાં ફાળ પડી, જાણો શું છે ધ્વજનું રહસ્ય

Viral Video: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગરૂડ મંદિરના ધ્વજને લઈને ભગવાન જગન્નાથના મંદિરના શિખરની ચારેબાજુ ફરી રહ્યું છે. અનેક લોકો આ ઘટનાને જગન્નાથ ભગવાનની કોઈ લીલા માને છે. તો કેટલાક શુભ કે અશુભ સંકેત માની રહ્યા છે. 

Watch Viral Video: પુરીના જગન્નાથ મંદિરનો ધ્વજ લઈને ઉડી ગયું ગરૂડ? લોકોના પેટમાં ફાળ પડી, જાણો શું છે ધ્વજનું રહસ્ય

પુરીના જગન્નાથ મંદિર અંગે રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી જેને જોતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એક ગરૂડ પક્ષી પતિતપાવન બાના, જે મંદિરના નીલા ચક્ર પર લહેરાય છે, તેના જેવો દેખાતો ધ્વજ લઈને ઉડતું જોવા મળ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ભક્તો અને સ્થાનિક લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. વીડિયોમાં ગરૂડ પક્ષી ધ્વજ જેવું કોઈ કપડું પકડીને શ્રી જગન્નાથમ મંદિરની ચારેબાજુ ચક્કર લગાવતું જોવા મળ્યું અને પછી તે સમુદ્ર તરફ ઉડી ગયું અને દેખાતું બંધ થઈ ગયું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ ઘટી જ્યારે પુરીમાં ભારે પવનની સાથે આંધી પણ જોવા મળી હતી. 

સ્થાનિક લોકોનો દાવો
આંધી થોડીવાર જોવા મળી અને પછી થંભી ગઈ. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગરૂડ પહેલા મંદિરના પશ્ચિમી દ્વાર પાસે મંડરાયું અને પછી સમુદ્ર તરફ જતું રહ્યું. ખાસ વાત એ રહી કે આ પક્ષીના  ગાયબ થયા બાદ આંધી પણ ધીમી પડી ગઈ હતી. અનેક લોકોને આ દ્રશ્ય ચમત્કારી લાગ્યું અને તેમણે તેને ભગવાન જગન્નાથ સાથે જોડી દીધુ. વીડિયોમાં દેખાતું કપડું પતિતપાવન બાના જેવું લાગતું હતું. પરંતુ હજુ પણ એ નક્કી નથી કે આ મંદિરનો અસલ ધ્વજ હતો કે પછી ફક્ત તેના જેવું દેખાતું કોઈ કપડું. ઝી 24 કલાક આ ખબરની પુષ્ટિ કરતું નથી. આ અંગે લોકોમાં અલગ અલગ મત પ્રવર્તી રહ્યો છે. કેટલાક તેને ચમત્કાર માની રહ્યા છે તો કેટલાક તેને માત્ર સંયોગ માને છે. 

— Voice of Hindus (@Warlock_Shubh) April 13, 2025

મંદિર પ્રશાસનની ચૂપ્પી
રવિવાર સાંજે સુધી શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને આ ઘટના વિશે કોઈ અધિકૃત ટિપ્પણી કરી નથી. લોકો ઉત્સુકતામાં  આ વિશે વધુ જાણકારીની રાહ જોઈ રહ્યા છે. વીડિયો જોઈને  ભક્તોમાં ચર્ચા થવા લાગી છે, અને અનેક લોકો તેને ભગવાનનો સંદેશ માની રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને શેર કરી રહ્યા છે અને પોતાના વિચાર રજૂ કરી રહ્યા છે. કેટલાક તેને સામાન્ય ઘટના માને છે તો કેટલાક તેને ધાર્મિક મહત્વ આપી રહ્યા છે. આ વીડિયો પુરીના લોકો અને જગન્નાથ ભગવાનના ભક્તો માટે એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ અનેક લોકો અનહોનીની આશંકા પણ સેવી રહ્યા છે. કારણ કે આ પહેલા વર્ષ 2020માં આકાશી વીજળી ચમકવાથી મંદિરના ધ્વજમાં આગ લાગી હતી. બરાબર ત્યારબાદ કોરોના મહામારીથી આખી દુનિયામાં તબાહી મચી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ કેટલાક સ્થાનિક લોઓએ એમ પણ કહ્યું કે ગરૂડે જે ધ્વજ પકડ્યો છે તે જગન્નાથ મંદિરનો નથી પરંતુ કોઈ બીજા મંદિરનો છે. ત્યારે આ ધ્વજ વિશે જાણવું ખુબ જરૂરી છે.

વિજ્ઞાનને પડકારે છે આ ધ્વજ
જગન્નાથ મંદિરના ધ્વજની સૌથી ખાસ વાત એ છે કે હવાની દિશા ગમે તે હોય પરંતુ ધ્વજની દિશા એક જ રહે છે. જે વિજ્ઞાનને પડકારે છે. આ ઘટનાથી વૈજ્ઞાનિકો પણ નવાઈ પામી ગયા છે. ધ્વજ લહેરાવવાની દિશા નિશ્ચિત છે પછી ભલે પવનની દિશા ગમે તે હોય. 

દરરોજ બદલાય છે ધ્વજ
જગન્નાથ મંદિરનો ધ્વજ દરરોજ બદલાય છે. એવી માન્યતા છે કે જે દિવસે ધ્વજ કોઈ કારણસર ન બદલાયો તો આ સ્થાન આગામી 18 વર્ષ સુધી બંધ રહેશે. જો આ વચ્ચે મંદિરના કપાટ ખોલવામાં આવે તો પ્રલય પણ આવી શકે. આ માન્યતાથી લોકો દંગ રહી જાય છે. મંદિરના શિખર પર રોજ એક પૂજારી 45 માળ જેટલી ઊંચાઈએ ચડે છે અને ધ્વજ બદલે છે. 

પ્રચલિત કહાની
એક પ્રચલિત કહાની મુજબ એક ભક્તે એકવાર સપનું જોયું કે ભગવાન જગન્નાથના મંદિરનો ઝંડો ફાટી ગયો છે. ત્યારબાદ મંદિરના પૂજારીઓને તે ઝંડો એ હાલતમાં મળ્યો. આથી દરરોજ એક નવો ઝંડો ફરકાવવાની પરંપરા શરૂ થઈ. એવું મનાય છે કે જૂનો ઝંડો ખરાબ ઉર્જાને ખેંચી લે છે, આથી તેને બદલી નાખવામાં આવે છે. 

મંદિરની ઉપર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેનું વજન લગભગ 1000 કિલોગ્રામ છે. વિજ્ઞાન પણ અચંબિત છે કે આખરે આ ચક્ર આટલી ઊંચાઈ પર પહોંચ્યું કેવી રીતે. કારણ કે તે સમયે ટેક્નોલોજી આટલી વિક્સી નહતી. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે અને ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news