આતંકવાદીઓ જવાનોની નહી પરંતુ ભ્રષ્ટાચારીઓની હત્યા કરો: J&K રાજ્યપાલ

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે આતંકવાદીઓને અપીલ કરી કે તેઓ જમ્મુ કાશ્મીરમાં પોલીસનાં જવાનો અને એસપીઓને પોતાનું નિશાન ન બનાવે. તેઓ તેમની હત્યા ન કરે. જો આતંકવાદીઓને હત્યા જ કરવી હોય તો તેઓ રાજ્યને લૂંટનારા લોકોની હત્યા કરો. તેઓ એવા લોકોને નિશાન બનાવો જે ભ્રષ્ટાચારી છે અને જમ્મુ કાશ્મીરને લૂંટી રહ્યા છે. 
આતંકવાદીઓ જવાનોની નહી પરંતુ ભ્રષ્ટાચારીઓની હત્યા કરો: J&K રાજ્યપાલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે આતંકવાદીઓને અપીલ કરી કે તેઓ જમ્મુ કાશ્મીરમાં પોલીસનાં જવાનો અને એસપીઓને પોતાનું નિશાન ન બનાવે. તેઓ તેમની હત્યા ન કરે. જો આતંકવાદીઓને હત્યા જ કરવી હોય તો તેઓ રાજ્યને લૂંટનારા લોકોની હત્યા કરો. તેઓ એવા લોકોને નિશાન બનાવો જે ભ્રષ્ટાચારી છે અને જમ્મુ કાશ્મીરને લૂંટી રહ્યા છે. 

કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA
સત્યપાલ મલિકે કહ્યું કે, આતંકવાદીઓ સામાન્ય નાગરિકોને મારે છે.  પોલીસનાં જવાનોને મારે છે. એસપીઓને મારે છે. અરે ભાઇ તમારા જ લોકોને શા માટે મારી રહ્યા છો. તેમને મારો, જેમણે તમારો દેશ લૂંટી લીધો છે. જેમણે કાશ્મીરની સારી દોલત લૂંટી લીધી છે. તમને શું તેમાંથી કોઇને માર્યા છે. આ ફિતુરમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેમાંથી કાંઇ જ નિકળવાનું નથી. બંદુકમાંથી કંઇ જ નહી નિકળે. લિટ્ટે પણ બંધુકનાં દમ પર કંઇ જ કરી શક્યું નથી. 

PM મોદીને ખાસ મળવા માટે થોડા કલાકો માટે જ ભારત આવશે ઇઝરાયેલી વડાપ્રધાન
આ અગાઉ પણ સત્યપાલ મલિક ખીણમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે. એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે કહ્યું કે, કાશ્મીરની સૌથી મોટી સમસ્યા ભ્રષ્ટાચાર છે. કાશ્મીરમાં જેટલા રૂપિયા થાય છે, જો તેટલા રૂપિયા વિકાસનાં કામમાં લગાવ્યા હોત તો કાશ્મીર સોનાનું હોત. અહીં નેતાઓ પાસે એટલા પૈસા છે, જેની કોઇ સીમા નથી. તેમનાં મોટા મોટા મકાનો છે. કરોડો રૂપિયાની કાલિન છે. જો કે ગરીબ કાશ્મીર છે, જે અમરનાથ યાત્રામાં ટટ્ટુ લઇને જાય છે તેના શરીર પર સ્વેટર પણ નથી હોતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news