Jammu-Kashmir: નૌગામમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીનો ખાતમો કર્યો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે.

Jammu-Kashmir: નૌગામમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીનો ખાતમો કર્યો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો છે. કહેવાય છે કે નૌગામના વગૂરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું. 

સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે અને વિસ્તારમાં સર્ચ આભિયાન ચાલુ છે. વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી  લીધો  અને કાર્યવાહી કરતા ઓપરેશન શરૂ કર્યું. 

— ANI (@ANI) June 16, 2021

સુરક્ષાદળોએ જ્યારે વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું તો છૂપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળો પણ જવાબી કાર્યવાહી કરી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ તરફથી જોઈન્ટ ઓફરેશન ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news