જેડીયુ નેતાનું મોટું નિવેદન, Rhea Chakrabortyને ગણાવી સોપારી કિલર, કહીં આ વાત

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ વચ્ચે બિહાર સરકારના મંત્રી અને જેડીયુ (JDU) નેતા મહેશ્વર હઝારી (Maheshwar Hazari)એ આ કેસ પર ટિપ્પણી કરતા રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને સોપારી કિલર ગણાવી છે. તેમણે કહ્યું કે, રિયા એક વિષ કન્યા જેવી છે.
જેડીયુ નેતાનું મોટું નિવેદન, Rhea Chakrabortyને ગણાવી સોપારી કિલર, કહીં આ વાત

પટના: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ વચ્ચે બિહાર સરકારના મંત્રી અને જેડીયુ (JDU) નેતા મહેશ્વર હઝારી (Maheshwar Hazari)એ આ કેસ પર ટિપ્પણી કરતા રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને સોપારી કિલર ગણાવી છે. તેમણે કહ્યું કે, રિયા એક વિષ કન્યા જેવી છે.

તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તી એક સોપારી કિલર તરીકે સુશાંતના જીવનમાં આવી અને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લીધો. સુશાંતના પૈસા પણ ટ્રાન્સફર કરાવી લીધા. હવે સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. રિયા ચક્રવર્તીને વિષ કન્યાની જેવી છે જેને ષડયંત્ર અંતર્ગત સુશાંતની પાસે મોકલવામાં આવી હતી.

મહેશ્વરે વધુમાં કહ્યું કે, સુશાંતના મોત પાછળ મોટી ગેંગનો હાથ હોઇ શકે છે. જેનો પ્લાન કરી સુશાંતની હત્યાનો ખેલ રચવામાં આવ્યો છે. આ મામલે સંપૂર્ણ તપાસની જરૂરીયાત છે. મહારાષ્ટ્ર પોલીસની તપાસ યોગ્ય દિશામાં નથી. એટલા માટે આ કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)થી તપાસ થવી જરીરી છે. બિહાર સરકાર સુશાંતના પરિવારની સાથે છે અને તેમને ન્યાર અપાવીને રહીશું. સીએમ નીતીશ કુમાર ઇચ્છે છે કે, સુશાંત સિંહને ન્યાય મળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news