આખરે સમાધાન થયું ! શોમાં ડૉ. મશહુર ગુલાટી વાપસી, કપિલ કરતા ઉંચો રહેશે હોદ્દો

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ફેન્સ માટે તે ખુબ જ રસપ્રદ બાબત રહેશે કે બંન્ને ઝગડા બાદ કઇ રીતે સહજ રહી શકે છે

આખરે સમાધાન થયું ! શોમાં ડૉ. મશહુર ગુલાટી વાપસી, કપિલ કરતા ઉંચો રહેશે હોદ્દો

નવી દિલ્હી : સુનવીલ ગ્રોવર કપિલ શર્મા શો પર પરત ફરશે. જો કે તે ડોક્ટર મશહુર ગુલાહી કે ગુત્થી સ્વરૂપે નહી પરંતુ એક સેલેબ્રિટી તરીકે જોવા મળશે. સુનીલ ગ્રોવરે જે શોની સાથે સમગ્ર દેશમાં જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી હવે તે શોમાં કપિલ શર્મામાં તેમની મહેમાનનવાઝી કરતા જોવા મળશે. રિપોર્ટ અનુસાર સુનીલ આ શો પર પોતાની ફિલ્મ ભારતને પ્રમોટ કરવા માટે પહોંચશે. સલમાન ખાન અને કટરીના કેફની સાથે જ સુનીલ પણ આ ફિલ્મમાં ગેસ્ટ તરીકે જોવા મળશે. સ્પષ્ટ છે કે કપિલના ફેન્સ માટે ખુબ જ રસપ્રદ નજારો જોવા મળશે. 

ઉલ્લેખનીય છે કે, સુનીલના શો કાનપુર વાળા ખુરાનાજ બંધ થવાની અફવાઓ ચાલી રહી હતી. સુનીલ ઝડપથી કપિલ શર્મા શોમાં પરત ફરી શકે છે. જો કે સ્ટાર પ્લનાં શો ડાયરેક્ટર પ્રીતિ સીમોજે સ્પષ્ટતા કરી કે સુનીલ ફિલ્મ ભારતના શૂટિંગ બાદ એકવાર ફરીથી કાનપુર વાલે ખુરાનાઝનાં એપિસોડ્સનાં શુટને પુર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ સુનીલનો કોમેડી શો ઓન એર નથી ચાલી રહ્યો પરંતુ થોડા સમયમાં આ શો પોતાના બાકી એપીસોડ્સ સાથે પરત નહી ફરે. જો કે તે પણ એટલું જ સત્ય છે કે, સુનીલ પણ સમગ્ર ભારતમાં લોકપ્રિયતાના કારણે કપિલ તેમને ઝડપથી પોતાનાં શો પર પરત ફરવા માંગે છે. 

કપિલે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, સુનીલ તેમના શોમાં પરત ફરી શકે છે. તેમણે કહ્યું હતું કે, તમે જુની વાતો છોડો, સુનીલ મારો મિત્ર છે અને તેની પાસે કેટલીક ફિલ્મની કમિટમેંટ્સ છે. આ સલમાન ખાનની ભારતમાં કામ કરી રહ્યા છે. ઉપરાંત વિશાળ ભારદ્વાજની પટાખા ફિલ્મમાં કામ કરી રહ્યા છે. હું તેમને મળ્યો પરંતુ તેમની સાથે શોનો કોન્સેપ્ટ પણ શેર કર્યો હતો. જો કે તે પોતાનાં બિઝી શેડ્યુલમાંથી ફ્રી થાય છે તેવા અમારો શો જોઇન કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news