કર્ણાટક સંકટ Live: SC પહોંચ્યા સ્પીકર, કહ્યું- નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે નહીં

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- જેડીએસ સરકાર પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી

કર્ણાટક સંકટ Live: SC પહોંચ્યા સ્પીકર, કહ્યું- નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે નહીં

નવી દિલ્હી: કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- જેડીએસ સરકાર પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું ક, 10 ધારાસભ્યો કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર સાથે મુલાકાત કરે. તેઓ તેમને તેમના રાજીનામાં અંગે જાણકારી આપે. સુપ્રીમ કોર્ટ આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.

કર્ણાટક સંકટ Update:-

  • મુંબઇથી બેંગલુરુ જવા માટે મુંબઇ એરપોર્ટ પહોંચ્યા બળવાખોર ધારાસભ્યો, આજે સાંજે સ્પીકર સાથે કરશે મુલાકાત

  • કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે સુપ્રીમ કોર્ટને તેમના આદેશ પર રોક લગાવવાની માગ કરી છે. જેમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોના રાજીનામાં મામલે આજે નિર્ણય લેવાનું કહ્યું હતું. સ્પીકર રમેશ કુમારે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ આ પ્રકારનો આદેશ આપી શકે નહીં. સુપ્રીમ કોર્ટે તેમની આ અરજી પર આજે તાત્કાલીક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. આવતી કાલે બળવાખોર ધારાસભ્યોના મામલા સાથે આ અરજી પર સુનાવણી કરવામાં આવશે.

  • બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટક વિધાનસભાના સ્પીકર સાથે મુલાકાત કરવા માટે મુંબઇથી બેંગલુરુ માટે રવાના થઇ ગયા છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન બળવાખોર ધારાસભ્યોને સાંજે 6 વાગે સ્પીકર સાથે મુલાકાત કરવા કહ્યું છે. કર્ણાટક સંકટનો ઉકેલ આજે સાંજે બધાની સામે આવી શકે છે.

  • कर्नाट‍क संकट: बागी विधायकों की याचिका पर सुप्रीम कोर्ट आज करेगा सुनवाई

    • સુપ્રીમ કોર્ટ દ્વારા કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યો તરફથી કરવામાં આવેલી અરજી પર સુનાવણી યોજાઇ. સુપ્રીમ કોર્ટે તે દરમિયાન કહ્યું કે, 10 ધારાસભ્ય આજે સાંજે 6 વાગે કર્ણાટક વિધાનસભાના સ્પીકર સાથે મુલાકાત કરી તેમને તેમના રાજીનામાં અંગે જાણકારી આપે. ત્યારબાદ મુંબઇની હોટલમાં રોકાયેલા બધા ધારાસભ્યો ખાસ વિમાનથી બેંગલુરુ જવા માટે રવાના થવાના છે. જણાવવામાં આવી રહ્યું છે કે બધા ધારાસભ્યો મુંબઇથી બપોરે 2:30 વાગે બેંગલુરુ જવા રવાના થઇ શકે છે.

  • સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ડીજીપીને આદેશ આપ્યો કે તેઓ બધા બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા પણ પૂરી પાડે.

  • કર્ણાટક મુદ્દા પર કોંગ્રેસે રાજ્યસભામાં હંગામો કરતા સદનથી વોકઆઉટ કરી દીધું. ગોવા અને કર્ણાટક મામલે ગુરૂવારે કોંગ્રેસે સંસદમાં પ્રદર્શન પણ કર્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસના નેતાઓએ સંસદ સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું. તે દરમિયાન તેમના હાથમાં ‘લોકતંત્ર બચાઓ’ના પોસ્ટરો હતા.

    • સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ધારાસભ્યો સ્પીકરને તેમના રાજીનામાંની જાણકારી આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્પીકર ત્યારબાદ રાજીનામાં પર નિર્ણય કરે.

  • કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે બધા બળવાખોર 10 ધારાસભ્યોને સાંજે 6 વાગે સ્પીકર સાથે મુલાકાત કરવાનો આદેશ આપ્યો છે.

  • અરજદારોએ એવી દલીલ કરી હતી કે મુખ્યમંત્રી લઘુમતીમાં છે અને આત્મવિશ્વાસ મત મેળવવાનો ઇનકાર કરે છે. અરજદારોએ બંધારણમાં આપેલા લોકશાહી સિદ્ધાંતોને સુરક્ષિત કરવા માટે તેમની અસાધારણ શક્તિઓને અમલમાં મૂકવાની માગ કરી હતી. અરજદારો કહે છે, વિધાનસભાના કોઈ પણ ચૂંટાયેલા સભ્યને તેમની અંતરાત્માનો અવાજ અથવા અન્ય આવશ્યક સંજોગોના આધારે તેમના સભ્ય પદ પરથી રાજીનામું આપવાનો હક છે. સદસ્યતામાંથી રાજીનામું મળે છે.

  • સુપ્રીમ કોર્ટ આજે કર્ણાટકના 10 બળવાખોર ધારાસભ્યની અરજી પર સુનાવણી કરશે. વકીલ મુકુલ રોહતગીના માધ્યમથી દાખલ અરજીમાં આ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, વિધાનસભા અધ્યક્ષ તેમના બંધારણીય કર્તવ્યનું પાલન કરી રહ્યાં નથી અને તેઓ ઇરાદાપૂર્વક વિધાનસભાથી તેમના રાજીનામાંની સ્વીકૃતિમાં વિલંબ કરી રહ્યાં છે.

  • સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામી ગુરૂવારના પદથી રાજીનામું આપી શકે છે. સાથે જ વિધાનસભા ભંગ કરવાની વિનંતિ પણ કરી શકે છે. આ પહેલા કુમારસ્વામી વિધાનસભામાં તેમની કેબિનેટની સાથે મહત્વની બેઠક પણ કરી શકે છે.

  • વિપક્ષી પાર્ટી ભાજપે રાજ્યપાલ વજુભાઇવાળાથી આગ્રહ કર્યો કે તેઓ એચડી કુમારસ્વામી સરકારને શક્તિ પરીક્ષણ કરવાનો આદેશ આપે. તો આ વચ્ચે કર્ણાટક કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો, એમટીબી નાગરાજ અને ડી સુધાકરએ બુધવારે રાજીનામું આપ્યું હતું.

    • બળવાખોર ધારાસભ્ય એસટી સોમ શેખર મુંબઇથી બેંગલુરુ પરત ફર્યા છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે રાજીનામું આપવા અંગેના તેમના નિર્ણય પર તેઓ અખંડ રહ્યા છે. સોમ શેખર બેંગલુરુ ડેવલોપ્મનેટ ઓર્થોરિટીના ચેરમેન છે. તેઓ બેંગલુરુમાં જરૂરી બેઠક માટે પરત આવ્યા છે.

    જુઓ Live TV:- 

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news