Pahalgam Terror Attack: લેફ્ટેનન્ટ વિનય નરવાલની પત્ની અશ્રુભરી આંખે પતિના પાર્થિવ દેહને ભેટીને બોલી, અમને તમારા પર ગર્વ
JK Pahalgam Terror Attack Live: પહેલગામમાં હિન્દુ પર્યટકો પર થયેલા હુમલા અને 26 લોકોના દર્દનાક મોત બાદ હાલાત તણાવપૂર્ણ છે. પીએમ મોદી સાઉદી અરબથી પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. પહેલગામ આતંકી હુમલા સંલગ્ન દરેક અપડેટ માટે ZEE24કલાકના લાઈવ બ્લોક સાથે જોડાયેલા રહો....
Trending Photos
જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બેસરનમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આતંકીઓ પર્યટકોને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આ ઘાતક આતંકી હુમલા બાદ દરેક આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ હાલાત પર ચર્ચા કરવા માટે કાશ્મીરમાં છે. પીએમ મોદી પણ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને દેશ પરત ફર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે