સામનાને ઇન્ટરવ્યૂ આપતા બોલ્યા ઉદ્ધવ, હું ટ્રંપ નથી, લોકોને પીડાતા જોઈ શકતા નથી

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તેમના મુખપત્ર સામના (Saamana)માં એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. આ ઇન્ટરવ્યૂ સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે લીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષ રાજકીય ઉત્સવ ના ઉજવે, સંકટની ગંભીરતાને ધ્યાનમાં રાખી જવાબદારીઓ નિભાવે.
સામનાને ઇન્ટરવ્યૂ આપતા બોલ્યા ઉદ્ધવ, હું ટ્રંપ નથી, લોકોને પીડાતા જોઈ શકતા નથી

મુંબઇ: શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તેમના મુખપત્ર સામના (Saamana)માં એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. આ ઇન્ટરવ્યૂ સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતે લીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષ રાજકીય ઉત્સવ ના ઉજવે, સંકટની ગંભીરતાને ધ્યાનમાં રાખી જવાબદારીઓ નિભાવે.

સીએમ ઉદ્ધવે કહ્યું કે, બધુ ભગવાન પર છોડી દેવાથી કઇ નહીં થયા, મુંબઇની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ બેદરકારીથી નહીં ચાલે. વોશિંગટન પોસ્ટ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આપણા પ્રયાસોની પ્રશંસા કરી રહ્યાં છે. કોરોનાને ત્રીજું મહાયુદ્ધ સમજો. લોકડાઉનને દૂર કરો, તેને ખોલી દો અને જેઓ આ કહે છે તે લોકોની જીવંતા લોકોની જવાબદારી લેશે શું?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું ટ્રંપ નથી, હું મારી આંખોથી સામે પીડાતા લોકો જોઇ શકતો નથી. એકદમ નહીં. ઉદ્ધવનો આરોપ છે કે, તેમના કામથી ભાજપને પેટમાં દુખે છે. સીએમ ઉદ્ધવે કહ્યું કે, બધુ ભગવાન પર છોડી દેવાથી કઇ નહીં થયા, મુંબઇની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ બેદરકારીથી નહીં ચાલે.

તેમણે કહ્યું કે કોરોના દુર થઇ રહ્યો નથી. જ્યાં સુધી આપણે કોરોના સાથે જીવવાનું શીખીશું નહીં, સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી પરિસ્થિતિ વિકટ બનતી જશે. જો કે, હવે લોકોએ તેને સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે. મોતના કેસ ઓછા કરવા હવે અમારા માટે સૌથી મોટો પડકાર છે. મુંબઇમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, આ મામલે સ્ટેટમેન્ટ આપવું ઉતાવળ હશે.

ઉદ્ધવે વધુમાં કહ્યું કે, લોકો માત્રને માત્ર અર્થવ્યવસ્થાની ચિંતા કરી રહ્યાં છે. તેમણે સ્વાસ્થ્યની ચિંતા થોડી ઘણી કરવી જોઇએ અને જે માત્ર સ્વાસ્થ્યની ચિંતા કરે છે તેમને આજના સમયમાં થોડી ઘણી આર્થિક ચિંતા પણ કરવી જોઇએ. આ બંનેને સાથે લઇને ચાલવું પડશે.

દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢતા ઉદ્ધવે કહ્યું કે, તેમના ધારાસભ્યનું ભંડોળ છે, તે મહારાષ્ટ્રનું ભંડોળ દિલ્હીમાં આપવાના કારણે તેઓ આ બધી બાબતો દિલ્હીમાં કરી રહ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભગવાન કહે છે કે, હું તમારી અંદર છું અને એટલા માટે તમે મંદિરે ના જાઓ. તે પહેલા કોરોના નામના સંકટને સંભાળો. ઉતાવળમાં લોકડાઉન કર્યું તે ભુલ છે અને ફરી ઉતાવળમાં લોકડાઉન હટાવ્યું તે પણ એક ભુલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આપણા દેશમાં અને આપાણા રાજ્યમાં માહામારી કાયદો સો વર્ષ પહેલાંનો હતો. અંગ્રેજો સમયનો છે. તે હવે 100 વર્ષ બાદ પુનર્જીવિત કરવામાં આવ્યો, આ કેમ કર્યું? કેમ કે, એકવાર ફરીથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. કેન્દ્રએ તેના કરતા વધુ એક પગલું ભર્યું. થોડો વધુ કડક ડિઝાસ્ટર એક્ટ બનાવ્યો છે. તે શા માટે કરવું પડ્યું? આનું કારણ, સંકટ તેમપણ ગંભીર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news