ગુજરાતી ન્યૂઝIndiaપહેલા ભાઈ-બહેન કૂદ્યા, પછી પિતા, ત્રણેયના મોત... દિલ્હીના દ્વારકામાં સુરતના તક્ષશિલા જેવો કાંડ બન્યો!

પહેલા ભાઈ-બહેન કૂદ્યા, પછી પિતા, ત્રણેયના મોત... દિલ્હીના દ્વારકામાં સુરતના તક્ષશિલા જેવો કાંડ બન્યો!

fire in dwarka building: દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી. એક પિતાએ તેના બે બાળકો સાથે સાતમા માળેથી કૂદકો માર્યો હતો. ત્યાં હાજર લોકો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા.

 પહેલા ભાઈ-બહેન કૂદ્યા, પછી પિતા, ત્રણેયના મોત... દિલ્હીના દ્વારકામાં સુરતના તક્ષશિલા જેવો કાંડ બન્યો!

દિલ્હીના દ્વારકામાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી મોટી દુર્ઘટના સર્જાઈ. થોડી જ વારમાં આખી ઈમારત આગની લપેટમાં આવી ગઈ. પોતાને બચાવવા માટે એક પરિવારના સભ્યોએ સાતમા માળેથી નીચે કૂદી પડ્યા. આ અકસ્માતમાં એક પુત્ર, એક પુત્રી અને એક પિતાનું મોત થયું. આ ઘટના મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.

Add Zee News as a Preferred Source

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના દ્વારકાના સેક્ટર-13માં સ્થિત એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગ એટલી ભયંકર હતી કે આખી ઈમારત આગની લપેટમાં આવી ગઈ હતી, ત્યારબાદ આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.

આગની જ્વાળાઓમાં ઘેરાયેલા જોઈને સાતમા માળે રહેતો એક પરિવાર ગભરાઈ ગયો અને પિતા બે બાળકો સાથે કૂદી પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, દ્વારકા સેક્ટર ૧૩માં શપથ સોસાયટીમાં ૮મા અને ૯મા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બે બાળકો (એક છોકરો અને એક છોકરી, બંને ૧૦ વર્ષના) પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા અને તેમને આકાશ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં, આ બાળકોના પિતા, યશ યાદવ (૩૫ વર્ષ) પણ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા અને તેમને પણ IGI હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યશ યાદવ ફ્લેક્સ બોર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

યશ યાદવની પત્ની અને મોટો પુત્ર આગમાંથી બચી ગયા હતા અને તેઓ સુરક્ષિત છે. તેમને તબીબી સહાય માટે IGI હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સોસાયટીના તમામ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. વીજળી અને PNG કનેક્શન જેવી તમામ સુવિધાઓ કાપી નાખવામાં આવી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે DDA અને MCD ને જાણ કરવામાં આવી છે. પરિવારને મદદ કરવા માટે આકાશ અને IGI હોસ્પિટલમાં ટીમો તૈનાત કરવામાં આવી છે.

બિલ્ડિંગમાં ફસાયેલા હોઈ શકે છે 2-3 લોકો 
અગાઉ, અધિકારીએ કહ્યું હતું કે ફ્લેટમાં બે-ત્રણ લોકો ફસાયેલા હોઈ શકે છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news