J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે. 

J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદ (Terrorism)ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે. 

ઓસામા મસૂદનો ઉત્તરાધિકારી ગણાય છે. તેણે વર્ષ 2018માં અફઘાનિસ્તાનમાં ઈસ્લામીક આતંકીઓને તાલીમ આપી અને નવા જેહાદીઓની ભરતીમાં પણ તેની મોટી ભૂમિકા રહે છે. આ અગાઉ તેને માનસેરા જિલ્લાના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પનો ઈન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. આ એ જ કેમ્પ છે જેને ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરીમાં બોમ્બવર્ષા કરીને તબાહ કર્યો હતો. 

બાલાકોટ બાદ ઓસામાને બહાવલપુરમાં જૈશના મુખ્ય સેન્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓસામા મસૂદ અઝહરનો ખુબ ભરોસાપાત્ર છે અને આતંકવાદીઓને મોટિવેટ કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા હોય છે. 

જૈશ એ મોહમ્મદ છેલ્લા દાયકામાં કાશ્મીરમાં સૌથી શક્તિશાળી આતંકવાદીઓનું જૂથ હતું. પરંતુ પહેલા તેનો ચીફ ગાઝી બાબા અને ત્યારબાદ અન્ય મુખ્ય આતંકવાદીઓ માર્યા ગયા પછી ખીણમાંથી આતંકી જૂથનો લગભગ સફાયો થઈ ગયો. તેની જગ્યા મુખ્ય રીતે સૈયદ સલાહુદ્દીનના જૂથ હિજબુલ મુજાહીદ્દીને લીધી. જેમાં સ્થાનિક આતંકીઓની સંખ્યા વધુ હતી. 

જુઓ LIVE TV

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સુરક્ષા દળોની કાર્યવાહીમાં બિજબુલના આતંકીઓનો લગભગ સફાયો થઈ ગયો. હવે પાકિસ્તાન ઘાટીમાં આતંકવાદ ફેલાવવા માટે મુખ્યત્વ પાકિસ્તાની આતંકીઓ દ્વારા બનાવવામાં આવેલા જૈશ ઉપર જ ભરોસો કરી રહ્યો છે. કલમ 370 હટ્યા બાદ આતંકીઓનું મનોબળ લગભગ તૂટેલું છે આથી પાકિસ્તાન પોતાના મોટા મોહરાને ઘાટીમાં મોકલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news