મોદી સરકારના નિર્ણયોથી મહેબુબા અને ઉમર ફફડ્યા, કહ્યું-આવશે ખુબ ખતરનાક પરિણામ
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 (1) સિવાયના તમામ ખંડોને ખતમ કરવાના સંકલ્પ બાદ રાજ્યની રાજકીય પાર્ટીઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. એક ખાસ ગેઝેટ નોટિફિકેશનથી કલમ 35એ તો હટી જ ગઈ છે. મહેબુબા મુફ્તીએ આ તમામ ઐતિહાસિક નિર્ણયો પર નિવેદન આપતા આજના આ દિવસને ભારતીય લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. આ બાજુ નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આ નિર્ણયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના ખુબ ખતરનાક પરિણામો આવશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 (1) સિવાયના તમામ ખંડોને ખતમ કરવાના સંકલ્પ બાદ રાજ્યની રાજકીય પાર્ટીઓએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. એક ખાસ ગેઝેટ નોટિફિકેશનથી કલમ 35એ તો હટી જ ગઈ છે. મહેબુબા મુફ્તીએ આ તમામ ઐતિહાસિક નિર્ણયો પર નિવેદન આપતા આજના આ દિવસને ભારતીય લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. આ બાજુ નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આ નિર્ણયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના ખુબ ખતરનાક પરિણામો આવશે.
જમ્મુ અને કાશ્મીર પર મોદી સરકારે લીધા 5 ઐતિહાસિક નિર્ણય, ખાસ જાણો
Jammu Kashmir LIVE: જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, કલમ 35A ખતમ, બનશે કેન્દ્રશાસિત પ્રદેશ...
ખતરનાક પરિણામો આવશે- ઉમર
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ આ મામલે પ્રતિક્રિયા આપતા પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત સરકાર દ્વારા લેવાયેલા એકપક્ષીય અને ચોંકાવનારા નિર્ણયે તે વિશ્વાસ સાથે દગો કર્યો છે જેની સાથે રાજ્યના લોકો વર્ષ 1947માં ભારતની સાથે આવ્યાં હતાં. એક નિર્ણયના દુરગામી અને ખુબ ગંભીર પરિણામ આવશે કેન્દ્રનો આ ફેંસલો એક પક્ષીય, ગેરકાયદે અને ગેરબંધારણીય છે અને નેશનલ કોન્ફરન્સ તેને પડકારશે.
જુઓ LIVE TV