NEET, JEE Main 2020: પરીક્ષાઓના ફરી મુલતવી રાખવાની સંભાવના, અહીં વાંચો લેટેસ્ટ જાણકારી

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંકટ મામલે થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન 2020 (JEE Main 2020) ફરી મુલતવી રાખવામાં આવી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ જેઇઇ મેન અને નીટ પ્રવેશ પરીક્ષાઓના આયોજનને લઇને બનાવેલી સમિતિ દ્વારા આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
NEET, JEE Main 2020: પરીક્ષાઓના ફરી મુલતવી રાખવાની સંભાવના, અહીં વાંચો લેટેસ્ટ જાણકારી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંકટ મામલે થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેન 2020 (JEE Main 2020) ફરી મુલતવી રાખવામાં આવી શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ જેઇઇ મેન અને નીટ પ્રવેશ પરીક્ષાઓના આયોજનને લઇને બનાવેલી સમિતિ દ્વારા આજે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.

કોરોના વાયરસના વધતા કેસને લઇ વિદ્યાર્થી અને ઉમેદવારો તરફથી સતત આ પરીક્ષાઓને મુલતવી રાખવાની માગ કરવામાં આવી રહી છે. નીટ પરીક્ષા 26 જુલાઇ અને જેઇઇ પરીક્ષાનું આયોજન 18-23 જુલાઇએ થવાનું છે. જો કે, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિત કેટલાક રાજ્યોમાં લોકડાઉનને 31 જુલાઇ સુધી વધારવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને પ્રવેશ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમિતિ મંત્રાલયને નીટ અને જેઇઇ પરીક્ષાને ઓગસ્ટમાં આયોજિત કરવાનું સુચન આપી શકે છે.

તમને જણાવી દઇએ કે, માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરૂવારના એક ટ્વિટમાં કહ્યું હતું, જેઇઇ અને નીટ પરીક્ષાઓમાં બેસનાર વિધ્યાર્થી અને ઉમેદવારોથી હાલની પરિસ્થિતિ અને અનુરોધને જોતા, ડીજી એનટીએ અને અન્ય વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવી છે. જે શુક્રવારના સ્થિતિની સમીક્ષા કરી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને તેમની ભલામણો રજૂ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news