જામિયા હિંસા: DCP-ACP સહિત ઘણા અધિકારી થયા ઘાયલ, એક હેડ કોન્સટેબલ ICUમાં ભરતી

NRC and CAB: નાગરિકતા સંશોધન બિલ (CAA)ના વિરૂદ્ધ રવિવારે દિલ્હીના જામિયા નગરમાં થયેલી હિંસામાં ઘણા પોલીસવાળાને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.છે. દિલ્હી પોલીસના અનુસાર જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

જામિયા હિંસા: DCP-ACP સહિત ઘણા અધિકારી થયા ઘાયલ, એક હેડ કોન્સટેબલ ICUમાં ભરતી

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (CAB)ના વિરૂદ્ધ રવિવારે દિલ્હીના જામિયા નગરમાં થયેલી હિંસામાં ઘણા પોલીસવાળાને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.છે. દિલ્હી પોલીસના અનુસાર જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં સામેલ હેડ કોન્સેટેબલ મકસૂલ હસન અહમદને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે, જેના લીધે તેમને આઇસીયૂમાં એડમિડ કરવામાં આવ્યા છે. 

તો બીજી તરફ પોલીસે જણાવ્યું કે કાલકાલી પોલીસ મથકમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા 35 વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા છે. 

તો બીજી તરફ દિલ્હી પોલીસે જામિયા મિલિયા યૂનિવર્સિટી (Jamia Millia University) પરિસરમાં રવિવારે પ્રવેશ કરવાકરવાના રિપોર્ટથી મનાઇ કરી દીધી છે. જામિયા નગર વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘણા વાહનોને નુકસાન થયું છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ-પૂર્વ) ચિન્મય બિસ્વાલે કહ્યું કે પ્રદર્શનકારીઓને ફક્ત પાછળ હટવા પર મજબૂર કરવામાં આવ્યા, પરંતુ પોલીસે કોઇ ગોળી ન ચલાવી. જોકે તેમણે સ્વિકાર્યું કે પરિસરની અંદર પથ્થરબાજી થતાં પોલીસને પ્રવેશ કરીને ઉપદ્વવીઓની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

બિસ્વાલે જણાવ્યું કે ''હિંસામાં પોલીસના 6 જવાનોને ઇજા પહોંચી છે અને ઘણા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક પ્રદર્શનકારી હિંસા કરવાની તૈયારી કરીને આવ્યા હતા. એટલા માટે જ્યારે તેમને રિંગ રોડ પર અટકવવામાં આવ્યા તો તે હિંસા પર ઉતરી આવ્યા હતા. 

પોલીસે એ વાતની પુષ્ટિ કરી નથી કે રવિવારે હિંસામાં પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી નથી કે રવિવારે વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી સામેલ હતા કે નહી. 

તમને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલને લઇને રવિવારે પ્રદર્શન હિંસક થઇ જતાં રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓ અને રાહદારીઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. લગભગ 1,000 લોકોની ભીડે સીએએને લઇને પ્રદર્શન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news