પહેલગામ ફરવા ગયેલા ગુજરાતીઓને થયો મોતનો સામનો! સુરતના એક વ્યક્તિનું મોત, 3 ઘાયલ
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને શોધી રહી છે. આ હુમલામાં 27 લોકોના મોતની આશંકા છે. જેમાં એક ગુજરાતીનું પણ મોત નિપજ્યું છે.
Trending Photos
Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યા હતા, જેમાં 27 લોકોના મોત થયાની આશંકા છે. જેમાં એક ગુજરાતના સુરતના એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મી કાશ્મીર ફરવા ગયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકનું મોત નિપજ્યું છે. સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા શૈલેષ કલાઠિયાનું પહેલગામ આતંકી હુમલામાં કરુણ મોત નિપજ્યું છે. શૈલેષ કલાઠિયા હાલમાં ફેમેલી સાથે મુંબઈમાં રહેતો હતો. જ્યારે 3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. CRPFની ક્વિક એક્શન ટાસ્ક ફોર્સ પણ આતંકવાદીઓને શોધી રહી છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુઃખ વ્યક્ત કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ કાયરતાપૂર્ણ આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. આ હુમલામાં જાન ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. આતંકવાદની સામે આજે આખો દેશ એક થઈને ઉભો છે. જમ્મુ-કાશ્મીરને અશાંત કરવાનો કોઈ પણ પ્રયાસ સફળ થશે નહીં.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ કાયરતાપૂર્ણ આતંકી હુમલો અત્યંત નિંદનીય છે. આ હુમલામાં જાન ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આતંકવાદની સામે આજે આખો દેશ એક થઈને ઉભો છે. જમ્મુ-કાશ્મીરને અશાંત કરવાનો…
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 22, 2025
3 ગુજરાતીઓ ગંભીર રીતે ઘાયલ
આ આતંકી હુમલામાં 3 ગુજરાતી ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં ગુજરાતથી જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયેલા ભાવનગરના વિનોદ ડાભી ઘાયલ થયા છે. 59 વર્ષના વિનોદભાઈ ડાભીની હાલ જમ્મુ કશ્મીરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય બે ગુજરાતી ઘાયલ થયા છે. જેમાં મોનિકા પટેલ, રેણું પાંડે ઘાયલ થયા છે જેમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કશ્મીર પહોચ્યા છે.
વિનોદ ડાભીના પુત્ર સાથે ખાસ વાતચીત
આ આતંકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાવનગરના વિનોદ ડાભીના પુત્રએ Zee 24 કલાકને જણાવ્યું કે, ભાવનગરથી ટ્રેન મારફતે 16 એપ્રિલના રોજ 15 દિવસ ટુરમાં ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપની કથા ચાલતી હોવાથી ત્યાં થોડા દિવસ રોકવાના હતા અને ત્યાર બાદ વૈષ્ણોદેવી મંદિર થઈને રિટનમાં પંજાબ અને રાજસ્થાન થઈને 30 તારીખે ભાવનગર પરત ફરવાના હતા. આજરોજ તેઓ પહેલગામ ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક હુમલો થયો હતો.
નોંધનીય છે કે, વિનોદભાઈ ડાભી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ટુરમાં ગયેલા હતા. આ ટુરમાં ભાવનગર અને પાલીતાણા કુલ 30 લોકો ગયેલા છે, જેમાં વિનોદભાઈ ડાભીના સિનિયર સિટીજનના ગ્રુપના 20 લોકો હતા. જેમાં પાલીતાણાના 6 લોકો સુરેન્દ્રનગરથી જમ્મુ ગયા હતા.
જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 19 લોકોના નામ
- વિનુભાઈ ત્રિભોવનભાઇ ડાભી
- લીલાબેન વિનુભાઈ ડાભી
- ધીરુભાઈ ડાયાભાઇ બારડ
- મંજુલાબેન ધીરુભાઈ બારડ
- મહાસુખભાઈ રાઠોડ
- પુષ્પાબેન મહાસુખભાઈ રાઠોડ
- હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા
- ખુશી હરેશભાઈ વાઘેલા
- અસ્મિતાબેન હરેશભાઈ વાઘેલા
- યતિષભાઈ સુધીરભાઈ પરમાર
- સ્મિત યતિષભાઈ પરમાર
- કાજલબેન યતિષભાઈ પરમાર
- મંજુબેન હરજીભાઈ નાથાણી
- સાર્થક મનોજભાઈ નાથાણી
- હરજીભાઈ ભગવાનભાઈ નાથાણી
- હર્ષદભાઈ ભગવાનભાઈ નાથણી
- ચંદુભાઈ જેરામભાઈ બારડ
- ચંદુભાઈ તુલસીભાઈ બારડ
- ગીતાબેન ચંદુભાઈ બારડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે