ભારતનું એકમાત્ર શહેર જ્યાં ડુંગળી પર છે પ્રતિબંધ, કારણ જાણીને થઈ જશો હેરાન
Onion Ban: ભારતમાં જુદા-જુદા ધર્મના લોકો રહે છે. અહીં લોકો પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ખાનપાનથી દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. અહીં કોઈ શુદ્ધ શાકાહારી છે તો કોઈ માંસાહારી, પરંતુ દરેક ભારતીય વ્યક્તિની રસોઈમાં એક વસ્તુ સમાન છે અને તે છે ડુંગળી. જી હા, તમને લગભગ દરેક ભારતીયના ઘરમાં ડુંગળી મળી જશે.
Trending Photos
)
Onion Ban: ભારતમાં જુદા-જુદા ધર્મના લોકો રહે છે. અહીં લોકો પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ખાનપાનથી દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. અહીં કોઈ શુદ્ધ શાકાહારી છે તો કોઈ માંસાહારી, પરંતુ દરેક ભારતીય વ્યક્તિની રસોઈમાં એક વસ્તુ સમાન છે અને તે છે ડુંગળી. જી હા, તમને લગભગ દરેક ભારતીયના ઘરમાં ડુંગળી મળી જશે. કોઈ ડુંગળીનો ઉપયોગ દાળમાં તડકો લગાડવા માટે કરે છે, તો કોઈ શાકમાં સ્વાદ વધારવા માટે... ડુંગળી વગર ભોજન પણ અધૂરું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું શહેર પણ છે જ્યાં ડુંગળી પર સંપૂર્ણ પ્રતિબંધ છે? ચાલો જાણીએ કે આખરે ભારતનું કયું શહેર છે જ્યાં ડુંગળી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અહીંના વહીવટીતંત્રે લસણ-ડુંગળી પર મૂક્યો છે પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના કટરા શહેરમાં ડુંગળી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જમ્મુ-કાશ્મીરનું કટરા શહેર ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંથી જ માતા વૈષ્ણો દેવીની યાત્રા શરૂ થાય છે. દર વર્ષે આ શહેરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચે છે. ધાર્મિક વાતાવરણની પવિત્રતા જાળવી રાખવા માટે જ અહીંના વહીવટીતંત્ર દ્વારા ડુંગળી અને લસણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જ્યારે પણ તમે કટરા જશો, ત્યારે તમે જાતે જ જોઈ શકશો કે કટરા શહેરમાં સ્થિત કોઈપણ હોટેલ કે રેસ્ટોરન્ટમાં તમને ડુંગળી-લસણમાંથી બનેલી વાનગી પીરસવામાં નહીં આવે. શાકભાજી વેચનાર પાસે પણ ડુંગળી કે લસણ નહીં મળે. આ હોવા છતાં અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શ્રદ્ધાળુઓને સાત્ત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે, જે સ્વાદ અને આસ્થા બન્નેને સંતુલિત રાખે છે.
સ્થાનિક નિવાસીઓ આપે છે વહીવટીતંત્રને પુરો સાથ
આ પરંપરાને જીવંત રાખવામાં સ્થાનિક લોકો પણ મોટો ફાળો આપે છે. વહીવટીતંત્રની સાથે-સાથે કટરા રહેવાસીઓ પણ ડુંગળી-લસણથી દૂર રહે છે. ઘણા દુકાનદારો જણાવે છે કે, બહારથી આવતા લોકો ઘણીવાર ડુંગળી માંગે છે, પરંતુ તેઓ તેમને નમ્રતાથી ના પાડી દે છે.
કટરા ભારતનું એવું શહેર છે જેણે ડુંગળી જેવી રોજિંદા વસ્તુનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે. આ માત્ર ધાર્મિક નિર્ણય જ નથી, પરંતુ અનુશાસન અને સામૂહિક આસ્થાનું ઉદાહરણ છે. અહીંના લોકો માને છે કે, માતા વૈષ્ણો દેવીની નગરીમાં સાત્ત્વિકતા જાળવી રાખવી એ જ સૌથી મોટી ભક્તિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














