Pahalgam Attack: પહેલગામમાં હનીમૂન વીડિયો બનાવતા ફોટોગ્રાફરે કર્યો ચોંકાવનારો ખુલાસો, ઝાડ પર ચડીને બનાવી હતી હુમલાની રીલ

Pahalgam Terror Attack Footage Leaked by Local Photographer: પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના જીવ ગયા. તપાસમાં જાણવા મળ્યું છે કે એક સ્થાનિક ફોટોગ્રાફરે આ હુમલાનો એક વીડિયો બનાવ્યો હતો જે હવે ખુબ મહત્વનો પુરાવો બન્યો છે. 

Pahalgam Attack: પહેલગામમાં હનીમૂન વીડિયો બનાવતા ફોટોગ્રાફરે કર્યો ચોંકાવનારો ખુલાસો, ઝાડ પર ચડીને બનાવી હતી હુમલાની રીલ

Pahalgam Terror Attack Footage Leaked by Local Photographer: પહલગામ આતંકી હુમલામાં એક સ્થાનિક ફોટોગ્રાફર આ હુમલાનો સાક્ષી બન્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ  આ ફોટોગ્રાફરની હુમલાની તપાસ અર્થે પૂછપરછ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે હુમલા દરમિયાન આ ફોટોગ્રાફર પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડ પર ચડી ગયો હતો અને તેણે આ હત્યાકાંડને રેકોર્ડ  કર્યો હતો. હવે તે NIA નો મહત્વનો સાક્ષી બન્યો છે. 

ઈન્ડિયા ટુડેમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ફોટોગ્રાફર પહેલગામની બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલા વખતે ત્યાં હતો અને પર્યટકોના વીડિયો બનાવતો હતો. જે બેસરન ઘાટીના મેદાનમાં હનીમૂન મનાવનારા અને પર્યટકોના રીલ બનાવવા માટે લોકપ્રિય હતો. આ ફોટોગ્રાફરે જીવ બચાવવા માટે ઝાડ પર ચડીને હુમલો રેકોર્ડ કર્યો. આ વીડિયો હવે NIA માટે મહત્વનો પુરાવો બન્યો છે. સુરક્ષા અર્થે NIA એ આ સાક્ષીની ઓળખ ઉજાગર કરી નથી. 

26 લોકોના થયા મોત
ફોટોગ્રાફરના વીડિયોમાં આતંકીઓની હરકતો અને હુમલાના ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  બેસરન ઘાટી જે પોતાની શાંતિ અને સુંદરતા માટે ખુબ પ્રસિદ્ધ છે અને ખાસ કરીને હનીમૂન મનાવનારા માટે તો સ્વર્ગ સમાન છે. 22 એપ્રિલના રોજ આ ઘાટી લોહીયાળ બની ગઈ જેમાં 26 જેટલા પર્યટકોએ જીવ ગુમાવ્યા. હવે આ હુમલાની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર આતંકીઓ જેમાંથી 3 પાકિસ્તાની અને એક સ્થાનિક આતંકી આદિલ ઠોકરે કોકેરનાગના જંગલોમાંથી આવીને આ હુમલાને અંજામ આપ્યો. આતંકીઓએ નજીકની દુકાનોની પાછળથી નીકળીને લોકોને કલમા વાંચવાનું કહ્યું અને પછી ચાર લોકોને ગોળી મારી દીધી. ત્યારબાદ ઝિપલાઈન પાસે બે અન્ય આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. હુમલા વખતે આતંકીઓએ એક પર્યટક અને એક સ્થાનિક વ્યક્તિના મોબાઈલ પણ છીનવી લીધા હતા. 

હનીમૂન માટે આવેલા નેવી અધિકારીને મળ્યું મોત
આ હુમલામાં માર્યા ગયેલામાં 26 વર્ષના લેફ્ટેનન્ટ વિનય નરવાલ પણ સામેલ હતા. જે હરિયાણાના કરનાલથી હતા અને નેવીમાં અધિકારી હતા. વિનય લગ્નના ચાર દિવસ બાદ જ પત્ની સાથે હનીમૂન મનાવવા માટે પહેલગામ ગયા હતા. તેમની પત્નીએ જણાવ્યું કે અમે ભેલપૂરી ખાતા હતા અને ત્યાં એક બંદૂકધારીએ મારા પતિને ગોલી મારી દીધી. તેણે કહ્યું કે મારા પતિ મુસ્લિમ નથી એ જાણીને આતંકીએ ગોળી મારી દીધી. વિનયના પાડોશી નરેશ બંસલે કહ્યું કે ચાર દિવસ પહેલા જ લગ્ન કરીને હોશે હોશે ફરવા માટે આવ્યા હતા. પરંતુ આતંકીઓએ  તેમનો જીવ લઈ લીધો. 

ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ આ મામલે તપાસ શરૂ કરી છે. 23 એપ્રિલથી વરિષ્ઠ NIA અધિકારીઓ ઘટનાસ્થળેથી પુરાવા ભેગા કરી રહ્યા છે. ફોટોગ્રાફરના વીડિયોથી તપાસકર્તાઓના હુમલાની ટાઈમલાઈન અને આતંકીઓની ઓળખ કરવામાં મદદ મળશે. આ વીડિયો આતંકીઓની સાથે સાથે તેમના સંભવિત તે સાથીઓ વિશે પણ જણાવી શકે છે જે આ હુમલામાં સામેલ હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news