ભારત પહોંચતા પહેલા જ PM મોદીએ PAKને આપી દીધો હતો સંદેશ! ગુજરાત પર થઈ દિલ્હી પહોંચ્યા

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા પર્યટકો પરના હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાના પગલે પીએમ મોદી પોતાનો 2 દિવસનો સાઉદી પ્રવાસ અધવચ્ચે પડતો મૂકીને ભારત પાછા ફર્યા પરંતુ આ વખતે તેમણે પાછા ફરતી વખતે પાકિસ્તાનને એક ગર્ભીત સંદેશ પણ આપી દીધો. 

ભારત પહોંચતા પહેલા જ PM મોદીએ PAKને આપી દીધો હતો સંદેશ! ગુજરાત પર થઈ દિલ્હી પહોંચ્યા

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સાઉદી અરબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  પોતાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પાછા ફર્યા. જ્યારે પીએમ મોદી  ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમનું વિમાન એ જ રૂટથી પાછું ન ફર્યું જે રૂટથી તેઓ સાઉદી ગયા હતા. 

વાત જાણે એમ હતી કે જ્યારે પીએમ મોદી સાઉદી અરબ ગયા હતા ત્યારે તે સમયે તેમણે પાકિસ્તાનના એરસ્પેસનો સહારો લીધો હતો અને પાકિસ્તાનની ઉપરથી સાઉદી ગયા હતા. જો કે જેદ્દાહથી નવી દિલ્હી પાછા ફરતી વખતે પીએમ મોદીના વિમાને પાકિસ્તાનના એરસ્પેસમાથી ઉડાણ ભરી નહતી. 

અહીં બે તસવીરો દર્શાવવામાં આવી છે જેમાં મંગળવારે જ્યારે સાઉદી અરબના જેદ્દાહ ગયા ત્યારે પીએમ મોદીનું વિમાન IAF બોઈંગ777-300 (K7067) પાકિસ્તાની એરસ્પેસમાં ઉડતું જોવા મળી રહ્યું છે. અને તેઓ પાકિસ્તાન, ઓમાનના રસ્તે સાઉદી અરબ ગયા હતા. 

— Vishnu Som (@VishnuNDTV) April 23, 2025

જ્યારે બીજી તસવીરમાં બુધવારે વિમાન પાકિસ્તાનના એરસ્પેસમાંથી બચતું જોવા મળ્યું. કારણ કે પીએમ મોદી આતંકી હુમલા બાદ તાબડતોબ દિલ્હી પાછા ફરી રહ્યા હતા. આ સમયે પીએમ મોદીના વિમાને ઓમાન બાદ સીધી જ ભારતની સરહદમાં એન્ટ્રી લઈ લીધી અને તેઓ ગુજરાત, રાજસ્થાનના રસ્તે દિલ્હી  પહોંચ્યા. 

અત્રે જણાવવાનું કે  જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરનમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો. આ હુમલામાં 27 લોકોના જીવ ગયા. અનેક ઘાયલો હોસ્પિટલમાં દાખલ છે. આતંકીઓ પર્યટકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારી. આ હુમલાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. પીએમ મોદી બે દિવસના સાઉદી અરબના પ્રવાસે ગયા હતા. હુમલાના કારણે પ્રવાસ ટૂંકાવીને દેશ પાછા ફર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news