તો શું ખચ્ચર ચાલક જ હતો આતંકી? મહિલાના દાવાથી પહેલગામ આતંકી હુમલામાં આવ્યો નવો વળાંક!
Pahalgam Terrorists Sketch: પહેલગામ આતંકવાદી હુમલાના બે દિવસ બાદ એક મહિલાએ મોટો દાવો કર્યો છે. હુમલાના બે દિવસ પહેલા બૈસરન ઘાટીમાં ફરવા ગયેલી એક મહિલાએ કહ્યું કે, તેના ખચ્ચર ચાલકે તેને તેની ધાર્મિક ઓળખ સંબંધિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા.
Trending Photos
Pahalgam Attack: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મોટી સનસનાટીભરી અપડેટ સામે આવી છે. આતંકવાદીઓના જે સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં એક સ્કેચ ખચ્ચર ચાલક જેવો દેખાય છે. એક મહિલા પ્રવાસીએ દાવો કર્યો છે કે, સ્કેચમાં દેખાતો પુરુષ અને તેનો ખચ્ચર ચાલક એક જ હતો. આ મહિલાએ હુમલાના બે દિવસ પહેલા જ બૈસરન ઘાટીમાં ખચ્ચર પર સવારી કરી હતી. તેનો ચહેરો સ્કેચમાં રહેલા આતંકવાદી સાથે બિલકુલ મેળ ખાય છે. હાલમાં મહિલાનો આ દાવો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જૌનપુરની મહિલાએ દાવો કર્યો છે કે, હુમલાના બે દિવસ પહેલા જ તે પહેલગામની બૈસરન ઘાટીમાં ફરવા ગઈ હતી. ત્યાં તેણીએ ખચ્ચર પર સવારી કરી હતી. તે ખચ્ચર ચાલકે તેને ઘણા અજીબોગરીબ પ્રશ્નો પૂછ્યા હતા.
ખચ્ચર ચાલકે પુછ્યા હતા અને ધાર્મિક પ્રશ્નો
આ બધા પ્રશ્નો ધાર્મિક ઓળખ સાથે સંબંધિત હતા. ઉદાહરણ તરીકે, શું તમે ક્યારેય અજમેર દરગાહ કે અમરનાથ યાત્રાની મુલાકાત કરી છે? તમારા કેટલા હિન્દુ અને મુસ્લિમ મિત્રો છે? તમને હિન્દુ ધર્મ ગમે છે કે ઇસ્લામ? શું તેણે ક્યારેય કુરાન વાંચી છે? કુરાનના પ્રશ્ન પર મહિલાએ કહ્યું કે, તે ઉર્દૂ નથી જાણતી. આના પર ખચ્ચર ચાલકે કહ્યું કે, હવે કુરાન હિન્દીમાં પણ આવી ગઈ છે. આવા પ્રશ્નોથી સ્ત્રી થોડી ડરી ગઈ.
આ ડર તે સમયે ખૂબ જ વધી ગયો, જ્યારે ખચ્ચર ચલાવનારે તેના ફોન પર કોઈ બીજા વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. ફોન પર તે કોઈની સાથે 'પ્લાન A' અને 'પ્લાન B' વિશે વાત કરી રહ્યો હતો. ખચ્ચર ચાલકને જ્યારે ખ્યાલ આવ્યો કે, સ્ત્રી તેના વાતો પર ધ્યાન આપી રહી છે, ત્યારે તેણે તરત જ બીજી ભાષામાં વાત કરવાનું શરૂ કરી દીધું. મહિલાએ કહ્યું કે, જ્યારે તેણીએ હુમલાના સમાચાર સાંભળ્યા ત્યારે તે ગભરાઈ ગઈ હતી. તેણે આ વાત તેના વોટ્સએપ ગ્રુપના મિત્રોને પણ કહી. તેના મિત્રોએ પણ તેની વાતને સમર્થન આપ્યું. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગાંદરબલ પોલીસે આ ખચ્ચર માલિકને કસ્ટડીમાં લીધો છે. તે પહેલગામથી દૂર ગાંદરબલમાં ખચ્ચર ચલાવે છે.
આ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. આ નરસંહાર જે રીતે કરવામાં આવ્યો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આતંકવાદીઓએ આ હુમલા પહેલા ઘણી રેકી કરી હતી. આ સિવાય સ્થાનિક સમર્થન વિના આ રીતે હુમલો કરવો અને પછી સરળતાથી છટકી જવું શક્ય નથી. હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે, તેમ છતાં હુમલાના બે દિવસ બાદ પણ આતંકવાદીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે