પહેલગામ હુમલાની તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, ક્રૂરતાની તમામ હદો કરી હતી પાર, જાણીને લોહી ઉકળી જશે

Pahalgam Terrorist Attack Latest Update: પહેલગામ હુમલો: જમ્મુ અને કાશ્મીરના પહેલગામને મીની સ્વિટ્ઝરલેન્ડ કહે છે પરંતુ હાલમાં જ ત્યાં થયેલા આતંકી હુમલાએ તેને લોહીલુહાણ કરી નાખ્યું.  હુમલાની તપાસ દરમિયાન તપાસકર્તાઓના ધ્યાનમાં એક અત્યંત  ચોંકાવનારી વાત સામે આવી છે. જે દર્શાવે છે કે આ આતંકીઓ કેટલા ક્રૂર હતા. 

પહેલગામ હુમલાની તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, ક્રૂરતાની તમામ હદો કરી હતી પાર, જાણીને લોહી ઉકળી જશે

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસનની સંયુક્ત તપાસ ટીમે મૃતકોના કપડાંની સ્થિતિ જોઈને એવી વાતો કરી છે કે સાંભળીને હચમચી જશો. તપાસકર્તાઓએ જાણ્યું છે કે 20 મૃતકોના પેન્ટ નીચે સરકેલા હતા એટલે કે તેમની ઝીપ ખુલ્લી હતી. આ પુરાવો એ વાતની પુષ્ટિ કરે છે કે આતંકીઓએ પહેલા પર્યટકોનો ધર્મ પૂ્છ્યો અને પછી માથામાં ગોળી મારી. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આતંકીઓએ પીડિતો પાસે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ઓળખપત્રો માંગ્યા. કલમા પઢવાનું કહ્યું અને પછી તેમના નીચેના ભાગના કપડાં ઉતરાવીને ખતનાની  તપાસ કરી. આ બર્બર રીતે હિન્દુ ઓળખની પુષ્ટિ કર્યા બાદ આતંકીઓએ તેમને નજીકથી ગોળી મારી. 

પીડિતોના પરિવાર કદચ એટલા આઘાતમાં હતા કે તેઓ શરીર પર કપડાંની સ્થિતિ જોઈ શક્યા નહીં. એટલે સુધી કે કર્મચારીઓએ પણ મૃતદેહો એવાને એવા જ ઉઠાવી લીધા જેવા તે હતા. બસ તેમને કફનથી ઢાંકી દીધા. હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાંથી 25 હિન્દુ હતા અને તે બધા જ પુરુષો હતા. 

આ બીભત્સ નરસંહારની તપાસ હવે ઝડપથી આગળ વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રાલ, પુલવામા, અનંતનાગ અને કુલગામ જેવા વિસ્તારોમાંથી લગભગ 70 આતંક સમર્થક અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સની પૂછપરછ થઈ રહી છે. પ્રાથમિક તપાસમાં લગભગ 1500 લોકોને અટકાયતમાં લેવાયા હતા જેમાંથી હવે શંકાની સોય 70 મુખ્ય શંકાસ્પદો પર અટકી છે. અધિકારીઓનું કહેવું છે કે જલદી આ અસલી દોષિતો સુધી પહોંચવાની આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news