)
2026 Predictions Astrology India Pakistan: પાકિસ્તાન જે સ્થિતિમાં હાલ છે તેમાં તેને તબાહ થવા માટે કોઈ દુશ્મનની જરૂર નથી. પાકિસ્તાનની જનતા લોહીના આંસુ સારી રહી છે. મોંઘવારી, બેરોજગારીના બોજા હેઠળ દબાયેલી છે. તેમાંય વર્ષ 2026 અંગે જે ભવિષ્યવાણીઓ સામેઆવી રહી છે તે મુજબ હવે પાકિસ્તાનનું અસ્તિત્વ જ જોખમમાં છે. વર્ષ 2026ની જ્યોતિષીય ગણતરીઓના આધારે જાની દુશ્મન ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ થઈ શકે છે. જે લાંબુ પણ ચાલી શકે. આ યુદ્ધ પાકિસ્તાનને પાયમાલ કરવા માટે પૂરતું હશે.
ખતરનાક ગ્રહ ગોચર
વર્ષ 2026માં જે ગ્રહ ગોચર થશે તે ભારત અને પાકિસ્તાનના સંબંધ માટે યોગ્ય કહી શકાય નહીં. એમ કહીએ તો પણ ચાલે કે પાકિસ્તાનના સિતારા ગર્દીશમાં હશે. 2026માં મંગળ ગોચર, અતિચારી ગુરુનું ગોચર, અને સૂર્ય ચંદ્રની સ્થિતિ તબાહી મચાવવાનું કામ કરશે.
મંગળ દંગલ કરાવશે
ભારતની કુંડળી પર નજર ફેરવીએ તો હાલ તેમાં મંગળની મહાદશા શરૂ થઈ છે. તેના પર 12 સપ્ટેમ્બર 2025થી 9 ફેબ્રુઆરી 2026 સુધી મંગળની અંતર્દશા રહેશે. જો આ દરમિયાન પાકિસ્તાન કોઈ મોટી ભૂલ કરે તો ભારત તેનો તગડો જવાબ આપશે અને ભારતનું પરાક્રમ આખી દુનિયા જોશે. આ સ્થિતિમાં ભારત પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધ થશે. જે પાકિસ્તાનના અસ્તિત્વને જ જોખમમાં નાખી દેશે. મંગળમાં મંગળની અંતર્દશા ભારતની તાકાતને અનેક ગણી વધારશે અનેઆ વખતે ભારતને પાકિસ્તાન પર કહેર વરસાવવામાં કોઈ શક્તિ રોકી શકશે નહીં.
આ વર્ષની શરૂઆતમાં જ 6 જાન્યુઆરી 2026ના રોજ મંગળ ગોચર કરીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ શનિની જ કુંભ રાશિમાં આવશે. અગ્નિ તત્વાળા મંગળનું શનિની રાશિમાં હોવું એ ભારતને વધુ આક્રમક બનાવશે. આવામાં ભારત વિરુદ્ધ કોઈ પણ શક્તિ સફળ થઈ શકશે નહીં.
મોટા યુદ્ધ તરફ જઈ શકે છે ભારત
ગ્રહદશા પર નજર ફેરવીએ તો વર્ષ 2026માં ભારત એક મોટા યુદ્ધ તરફ જઈ શકે છે. આ યુદ્ધ ઘણા દિવસ સુધી ચાલી શકે છે. સરહદ પર ભારે સંઘર્ષ રહેશે. ખાસ કરીને 12 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચેનો સમય ભયંકર રહેશે. આ સમય દરમિયાન ગુરુ અને સૂર્ય ગ્રહ કર્ક રાશિમાં રહેશે. એમાંય 12થી 15 ઓગસ્ટ વચ્ચે તેમની સાથે ચંદ્રમા પણ આવશે.
બાદમાં આ ત્રણેય ગ્રહ શનિના નક્ષત્રમાં જતા રહેશે અને પછી આ ગ્રહો અલગ અલગ સ્થિતિ બનાવશે.સૂર્યની સાથે આગ અને ચંદ્રમાની સાથે જળ પ્રલયની ઉત્પતિ કરશે. આ વિધ્વંસ બાદ સર્જનનો પાયો પણ નાખશે. આ સાથે જ મીન રાશિનો શનિ જુલાઈ અને ઓગસ્ટ 2026માં ભયંકર વિનાશ કરાવશે અને પછી સર્જનનું કામ પણ કરશે.
હાલ વિક્રમ સંવત 2082 ચાલે છે. જેનું નામ સિદ્ધાર્થ સંવત્સર પણ છે. ત્યારબાદ વિક્રમ સંવત 2083 શરૂ થશે. રૌદ્ર નામનું સંવત્સર હશે. 19 માર્ચ 2026થી રોદ્ર સંવત્સરનો આરંભ દેશ અને દુનિયામાં નરસંહાર લાવશે. ખાસ કરીને મધ્ય એશિયા અને દક્ષિણ એશિયામાં ભારે નરસંહાર થવાના પ્રબળ યોગ છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)