ભૂલમાં સરહદ પાર કરી ગયો ભારતીય જવાન, પાકિસ્તાન રેન્જર્સે કરી અટકાયત
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત થયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન સામે એક બાદ એક મોટા નિર્ણય લીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ વચ્ચે સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના એક જવાન દ્વારા ભૂલમાં પંજાબની સરહદ પાર કરાયા બાદ પાકિસ્તાન રેન્જર્સે તેની અટકાયત કરી છે. અધિકારીઓએ ગુરૂવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું કે જવાનને છોડાવવા માટે બંને દેશોની સેના વચ્ચે વાતચીત ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે 182મી બટાલિયનના પીકે સિંહે બુધવારે ફિરોજપુર સરહદ પાર કરતા પાકિસ્તાન રેન્જર્સે તેની અટકાયત કરી હતી. આ જવાન વર્ધીમાં હતો અને તેની પાસે સર્વિસ રાઇફલ પણ હતી. તેમણે જણાવ્યું કે બીએસએફ જવાન ખેડૂતોની સાથે હતો અને તે છાયામાં આરામ કરવા માટે આગળ વધ્યો, ત્યારબાદ તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે બીએસએફ જવાનને છોડાવવા માટે બંને દેશના દળોની વચ્ચે ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે આવી ઘટનાઓ અસામાન્ય નથી અને બંને પક્ષ વચ્ચે પહેલા આવી ઘટના બની ચૂકી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના પહેલગામ આતંકી હુમલાની પૃષ્ટભૂમિમાં થઈ છે. ત્યારબાદ ભારતે આતંકવાદને પ્રાયોજિત કરનાર પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં ભર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે