પહેલગામ આતંકી હુમલાને લઈ PM મોદી આજે રાત્રે સાઉદી અરબથી ફરશે પરત, ટ્રમ્પ અને પુતિને કરી નિંદા
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને શોધી રહી છે. આ હુમલામાં 27 લોકોના મોતની આશંકા છે. જેમાં એક ગુજરાતીનું પણ મોત નિપજ્યું છે.
Trending Photos
Pahalgam Terrorist Attack: પહલગામમાં આતંકી હુમલામાં 27થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર મળતા પીએમ મોદી સઉદી અરબનો પ્રવાસ પડતો મૂકીને ભારત પરત ફરી રહ્યા છે. થોડા કલાકોમાં પીએમ મોદી નવી દિલ્હી પહોંચી જશે.બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચી ચુક્યા છે. કહેવાય છે કે, ચાર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાંથી ત્રણ પાકિસ્તાની છે. મરનારા લોકોમાં એક નેવીના લેફ્ટિનેંટ પણ સામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાને રાખી સઉદી અરબ તરફથી આયોજીત સત્તાવાર રાત્રિભોજનમાં ભાગ લેશે નહીં. તેમણે પોતાની સઉદી યાત્રાને ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. આજે તેઓ ભારત આવવા રવાના થશે. બુધવારે સવારે પીએમ મોદી ભારત આવી જશે. પ્રધાનમંત્રી બે દિવસીય પ્રવાસ માટે સઉદી ગયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેઓ આ હુમલાની નિંદા કરે છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકોનો હાથ છે તેમને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ દ્રઢ છે.
શ્રીનગરમાં તમામ એજન્સીઓ સાથે શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
શ્રીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તમામ એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સેના, પોલીસ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
#WATCH श्रीनगर | जम्मू-कश्मीर के मुख्यमंत्री उमर अब्दुल्ला ने पहलगाम आतंकी हमले के बारे में केंद्रीय गृह मंत्री अमित शाह को जानकारी दी। उपराज्यपाल मनोज सिन्हा और अन्य उच्चस्तरीय अधिकारी भी मौजूद रहे। pic.twitter.com/lE8NpSucgk
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ હુમલાની કરી નિંદા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ હુમલાની નિંદા કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદના તમારા બધા સાથે છે!
આતંકવાદી હુમલા પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. આ ભયાનક હુમલાનો શોક મનાવી રહ્યા છીએ ત્યારે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે. જેડી વેન્સ હાલમાં ભારતના પ્રવાસે છે.
Usha and I extend our condolences to the victims of the devastating terrorist attack in Pahalgam, India. Over the past few days, we have been overcome with the beauty of this country and its people. Our thoughts and prayers are with them as they mourn this horrific attack. https://t.co/cUAyMXje5A
— JD Vance (@JDVance) April 22, 2025
પહેલગામ હુમલાની રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી નિંદા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું કે, હું આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવામાં ભારતીય ભાગીદારો સાથે સહયોગને વધુ વધારવાની મારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરું છું.
હુમલામાં ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનું મોત
પહેલગામ હુમલામાં 26 વર્ષીય ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલનું મૃત્યુ થયું છે. તે હરિયાણાનો વતની છે અને 16 એપ્રિલે તેના લગ્ન થયા હતા. નરવાલ કોચીમાં પોસ્ટેડ હતા અને હાલમાં રજા પર હતા.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદી જાહેર, ઘાયલોના નામ પણ જાહેર
હુમલામાં માર્યા ગયેલા 16 લોકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આમાં 10 ઘાયલ લોકોના નામ પણ સામેલ છે. હુમલામાં કર્ણાટકના મંજુ નાથ, હરિયાણાના વિનય નરવાલ, યુપીના શુભમ દ્વિવેદી, મહારાષ્ટ્રના દિલીપ જયરામ, નેપાળના સંદીપ કે સુંદીપ, બિટેન, યુએઈના ઉધવાણી, પ્રદીપ કુમાર, મહારાષ્ટ્રના અતુલ શ્રીકાંત મોને, સંજય લખન, જમ્મુ કાશ્મીરના સૈયદ હુસૈન શાહ સહિત ગુજરાતના સુરતના શૈલેષ કલાઠિયા સહિતના લોકોના કરુણ મોત નિપજ્યા છે.
આતંકવાદી હુમલામાં IB હૈદરાબાદના સેક્શન ઓફિસરનું મોત
પહેલગામ આતંકવાદી હુમલામાં IB હૈદરાબાદ સેક્શન ઓફિસર મનીષ રંજન પણ શહીદ થયા છે. આ હુમલામાં 30 લોકોના મોત થયા હોવાની આશંકા છે, જો કે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કેન્ડલ માર્ચ
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સ્થાનિક લોકોએ પહેલગામ આતંકવાદી હુમલા સામે મીણબત્તી માર્ચ દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શ્રીનગરમાં સ્થાનિક લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુપવાડામાં સ્થાનિક લોકોએ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી હતી.
#WATCH जम्मू-कश्मीर | पहलगाम में पर्यटकों पर हुए आतंकी हमले के खिलाफ श्रीनगर में स्थानीय लोगों ने मोमबत्ती जलाकर विरोध जताया। pic.twitter.com/0WxDuklI5n
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
પહેલગામ આતંકવાદી હુમલા બાદ દિલ્હીમાં એલર્ટ જાહેર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દિલ્હીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસને પર્યટન સ્થળો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર પણ કડક નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે