Assam Election 2021: અસમમાં ફરી એકવાર NDA સરકાર, હિંસા આપનાર સ્વિકાર નથી: નરેન્દ્ર મોદી

અસમના તામુલપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરતાં કહ્યું કે બે તબક્કાના વોટિંગ બાદ આજે અહીં તમારા દર્શન કરવાનો મોકો મળ્યો છે. આ તબક્કા બાદ અસમમાં ફરી એકવાર એનડીએ સરકાર, આ લોકોએ ફાઇનલ કરી લીધી છે. 

Assam Election 2021: અસમમાં ફરી એકવાર NDA સરકાર, હિંસા આપનાર સ્વિકાર નથી: નરેન્દ્ર મોદી

અસમ: અસમના તામુલપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરતાં કહ્યું કે બે તબક્કાના વોટિંગ બાદ આજે અહીં તમારા દર્શન કરવાનો મોકો મળ્યો છે. આ તબક્કા બાદ અસમમાં ફરી એકવાર એનડીએ સરકાર, આ લોકોએ ફાઇનલ કરી લીધી છે. 

અસમના લોકો વિકાસ સાથે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અસમની ઓળખનું વારંવાર અપમાન કરનાર લોકો, અસમના લોકોને સહન નથી. અસમને દાયકા સુધી હિંસા અને અસ્થિરતા આપનાર અસમના લોકોને એક પળ પણ સ્વિકાર નથી. અસમના લોકો વિકાસ સાથે છે. 

2 તબક્કાના મતદાનમાં ભાજપ આગળ
અસમના તામુલપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અસમમાં ફરી એકવાર NDA સરકાર બનવા જઇ રહી છે. હિંસા આપનાર અસમને સ્વિકાર નથી. તેમણે કહ્યું કે ગત 2 તબક્કામાં ભાજપ આગળ છે. અસમે NDA ને જીતાડવાનું મન બનાવી લીધું છે. 

સેક્યૂલરિઝમ-કોમ્યુનિઝમનો ખેલને દેશને પહોંચાડ્યું છે નુકસાન: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે જ્યારે પણ કોઇ યોજના બનાવીએ છીએ, તો બધા માટે બનાવે છે. દરેક ક્ષેત્રના લોકોને, દરેક વર્ગના લોકો સુધી, ભેદભાવ કર્યા વિના પક્ષપાત, આ યોજનાનો લાભ પહોંચાડવા માટે અમે આકરી મહેનત કરીએ છીએ. દેશમાં કેટલીક વાતો એવી ખોટી ચાલી રહી છે, જો આપણે સમાજમાં ભેદભાવ કરીને, સમાજના ટુકડા કરીને પોતાની વોટબેંક માટે કંઇપણ આપે, તો દુર્ભાગ્ય જુઓ, તેને દેશમાં સેક્યુલરિઝ્મ કહેવામાં આવે છે. પરંતુ જે તમારા માટે કામ કરે, ભેદભાવ વિના બધાને આપે છે, તો કહે છે કે કોમ્યુનિલ છે. સેક્યૂલરિઝમ-કોમ્યૂનિઝમના આ ખેલએ દેશને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. 

અસમમાં થઇ રહ્યો છે વિકાસ અહીં કનેક્ટિવિટી વધી છે- મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારા રાજકીય અનુભવના આધારે જનતાના પ્રેમની ભાષા, જનતાના આર્શિવાદની તાકાત પર હું કહું છું કે અસમમાં ફરી એકવાર તમે લોકોએ એનડીએ સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. અસમમાં થઇ રહેલા વિકાસ લીધે અહીં કનેક્ટિવિટી વધી રહી છે. અસમમાં થઇ રહેલો વિકાસ લોકોના, મહિલાઓના જીવનને સરળ બનાવે છે. અસમમાં થઇ રહેલા વિકાસ અહી નવી તકો પુરૂ પાડે છે. યુવાનો માટે અવસર પેદા કરે છે. 

અસમના લોકો વિકાસ, સ્થિરતા, શાંતિ, ભાઇચારા, સદભાવના સાથે છે: પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે અસમની ઓળખ વારંવાર અપમાન કરનાર લોકો, અહીંની જનતાને સહન નથી. અસમને દાયકાસ ઉધી હિંસા અને અસ્થિરતા અપાનાર છે. હવે અસમના લોકોને એકપળનો પણ સ્વિકાર નથી. અસમના લોકો વિકાસ, સ્થિરતા, શાંતિ, ભાઇચારો અને સદભાવના સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news