PNB Fraud Case: જાધવ કેસમાં પાકિસ્તાનને ધોબીપછાડ આપનારા આ વકીલ હવે ભાગેડુ મેહુલ ચોક્સીની કરાવશે ભારત વાપસી?

પીએમબી કૌભાંડ ( PNB fraud case)  મામલે ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ને ભારત ભેગો કરવાની કોશિશો ચાલુ છે. ભારત સરકારે હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઈકોર્ટ તરફ નજર દોડાવી છે. 

PNB Fraud Case: જાધવ કેસમાં પાકિસ્તાનને ધોબીપછાડ આપનારા આ વકીલ હવે ભાગેડુ મેહુલ ચોક્સીની કરાવશે ભારત વાપસી?

નવી દિલ્હી: પીએમબી કૌભાંડ ( PNB fraud case)  મામલે ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ને ભારત ભેગો કરવાની કોશિશો ચાલુ છે. ભારત સરકારે હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઈકોર્ટ તરફ નજર દોડાવી છે. 

CBI અને વિદેશ મંત્રાલય મળીને કરી રહ્યા છે કામ
સૂત્રોના જણાવ્યાં મુજબ CBI અને વિદેશ મંત્રાલયે ડોમિનિકા હાઈકોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે. સોગંદનામામાં મેહુલ ચોક્સીની habeas corpus અરજીમાં તેમને પણ  પક્ષકાર બનાવવાની અપીલ કરી છે. આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે ચોક્સીની ઘર વાપસી માટે સીબીઆઈ અને વિદેશ મંત્રાલય બંને ભેગા મળીને કામ કરી રહ્યા છે. CBI ઓફિસર ચોક્સીની અપરાધિક જવાબદારી, ભાગેડુ કેસોની સ્થિતિ, તેમના વિરુદ્ધ પેન્ડિંગ વોરન્ટ, રેડ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

આ બાજુ વિદેશ મંત્રાલય કોર્ટમાં એવો તર્ક રજુ કરશે કે ચોક્સીની ભારતીય નાગરિકતા જળવાઈ રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ જો એફિડેવિટ સ્વીકારી લેવાશે તો પ્રસિદ્ધ વકીલ હરીશ સાલવે ડોમિનિકામાં ભારતનો પક્ષ રજુ કરશે. 

ડોમિનિકા કોર્ટે જામીન આપવાની ના પાડી
આ અગાઉ ડોમિનિકા હાઈકોર્ટે ગેરકાયદેસર એન્ટ્રી મામલે શુક્રવારે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને જામીન આપવાની ના પાડી દીધી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ચોક્સીના ભાગી જવાથી જોખમ રહેલું છે. ચોક્સી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હાઈકોર્ટમાં ગયો હતો. ભાગેડુ મેહુલ ચોક્સી વર્ષ 2018થી એન્ટીગુઆ અને  બારબુડામાં નાગરિક તરીકે રહી રહ્યો છે. 

13500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ
અત્રે જણાવવાનું કે મેહુલ ચોક્સી ભારતમાં ગીતાંજલી જેમ્સ, અને અન્ય જાણીતી હીરા જ્વેલરી  બ્રાન્ડ્સનો માલિક હતો. તેણે પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું અને કૌભાંડ બહાર આવતાના ગણતરીના અઠવાડિયા પહેલા દેશમાંથી બહાર ભાગી ગયો. આ કેસમાં મેહુલ ચોક્સી અને તેના ભાણીયા નીરવ મોદીની કથિત સંડોવણીનો ખુલાસો થયો. ત્યારબાદ ભારતની અપીલ પર ઈન્ટરપોલે ચોક્સી (62) વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડી હતી. 

મેહુલ ચોક્સી 23 મેના રોજ રહસ્યમય સ્થિતિમાં એન્ટીગુઆ અને બારબુડાથી ગાયબ થઈ ગયો. તેને કથિત પ્રેમિકા સાથે પાડોશી દ્વિપીય દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના આરોપમાં પકડી લેવાયો. ચોક્સીના વકીલોએ આરોપ લગાવ્યો કે એન્ટીગુઆ અને ભારતીય જેવા દેખાતા પોલીસકર્મીઓએ એન્ટીગુઆમાં જોલી હાર્બરથી તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેઓ તેને બોટ દ્વારા ડોમિનિકા લઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news