'ક્રિકેટર' રાહુલનું આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ, ધડાધડ થઈ રહ્યું છે શેયર કારણ કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 'નીચ'ને લગતી ટિપ્પણી કર્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરને કારણદર્શક નોટીસ જાહેર કરીને પ્રાથમિક સભ્યપદથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે 

  • મણિશંકર ઐયરની પ્રાથમિક સભ્યપદથી કરાઈ છે હકાલપટ્ટી
  • વડાપ્રધાન મોદી પર કરી હતી આપત્તિજનક ટિપ્પણી
  • રાહુલ ગાંધીએ પણ આ ટિપ્પણી વિશે વ્યક્ત કરી હતી નારાજગી

Trending Photos

'ક્રિકેટર' રાહુલનું આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ, ધડાધડ થઈ રહ્યું છે શેયર કારણ કે...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 'નીચ'ને લગતી વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા પછી કોંગ્રેસના ટોચના નેતા મણિશંકર ઐયરનું પ્રાથમિક સભ્યપદ રદ કરી દેવાયું છે.  તેમના પર લેવાયેલા કડક પગલાં પછી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં કથિત રીતે કોંગ્રેસના એક સ્થાનિય નેતા રાહુલ ગાંધીને અભિનંદન આપતા દેખાઈ રહ્યા છે. 

રિપોર્ટ પ્રમાણે અલ્હાબાદના કોંગ્રેસ નેતા હબીબ અહેમદના એક પોસ્ટરમાં રાહુલ ગાંધીને ક્રિકેટર તરીકે દેખાડવામાં આવ્યા છે જે પોતાના બેટથી બોલને ફટકારે છે. આ બોલ પર મણિશંકર ઐયરનો ચહેરો દોરેલો છે. આ પોસ્ટરમાં લખ્યું છે 'વેલડન રાહુલ ભઇયા...'આ પોસ્ટરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સિવાય પ્રિયંકા વાડ્રા અને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી પણ દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ વોટ્સએપ તેમજ ફેસબુક અને ટ્વિટર પર વાઇરલ બની છે. 

મણિશંકર ઐયરની હકાલપટ્ટીના મામલે મિશ્ર પ્રતિભાવ મળ્યા છે. કેટલાક લોકો આ પગલાં બદલ કોંગ્રેસના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. નોંધનીય છે કે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીના ડો. બી.આર. આંબેડકર વિશેના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , 'આ બહુ નીચ પ્રકારનો માણસ છે. એનામાં કોઈ સભ્યતા નથી અને આ પ્રકારના અવસર પર ગંદી રાજનીતિ કરવાનો શું મતલબ છે?' મણિશંકર ઐયરના આ નિવેદન પછી વિવાદ શરૂ થઈ ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news