આ પહેલું પગલું છે, તારીખ જણાવો... જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને રાહુલ ગાંધીનું સમર્થન
Caste Census: રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં અમે કહ્યું હતું કે જાતિગત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવામાં આવશે. અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ.
Trending Photos
Caste Census: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે, સરકારે આ નિર્ણય તેમના પક્ષ દ્વારા સતત ઉઠાવવામાં આવતી માંગણી બાદ લીધો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધી કહ્યું કે, સંસદમાં અમે કહ્યું હતું કે અમે જાતિગત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવામાં આવશે. અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ. તેમણે કહ્યું કે, આ પહેલું પગલું છે, હવે આપણે આનાથી આગળ વધવું પડશે. સરકારે તારીખ જણાવે કે આ ક્યાર સુધીમાં કરાવવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "તેલંગાણામાં અમે લોકો સાથે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરીને આ બનાવવામાં આવ્યું છે. અમે લોકોની વસ્તી ગણતરી ઇચ્છીએ છીએ, નોકરશાહોની વસ્તી ગણતરી નહીં. તેલંગાણા મોડેલમાં બે-ત્રણ પ્રિન્સિપલ છે. પહેલું એ છે કે તે બંધ રૂમમાં અમલદારો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું ન હતું. જેની અમે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે નોકરશાહીમાં નથી. અમે એક સામૂહિક વસ્તી ગણતરી, ઓપન ટેકનોલોજીની વસ્તી ગણતરી કરવા માંગીએ છીએ, જ્યાં અમે લોકોને પૂછીએ છીએ કે આ ટેકનોલોજીની ડિઝાઇન પર તેમના મંતવ્યો શું છે. બીજો પ્રિન્સિપલ નિષ્ણાત ગ્રુપનુંની સેટઅપ કરવામાં આવશે, જે તમામ ડેટાનો અભ્યાસ કરશે. ત્રીજું સ્ટેપ 50 ટકા અનામત મર્યાદા દૂર કરવાનું છે, જે તેલંગાણા સરકારે કર્યું છે."
કોંગ્રેસે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર બુધવારે કહ્યું કે, ક્યારેય ન થવા કરતાં મોડું સારું. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે 9 એપ્રિલના રોજ કોંગ્રેસના અમદાવાદ અધિવેશનમાં પસાર થયેલા ઠરાવને ટાંકીને કહ્યું કે, જેમાં જાતિગત વસ્તી ગણતરીની હિમાયત કરતા કહેવામાં આવ્યું હતું કે, સામાજિક ન્યાયના પાયાને વધુ મજબૂત બનાવવો જરૂરી છે.
સરકારે બુધવારે નિર્ણય લીધો કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો "પારદર્શક" રીતે સમાવેશ કરવામાં આવશે. રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી કેન્દ્રના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે પરંતુ કેટલાક રાજ્યોએ સર્વેક્ષણના નામે જાતિ ગણતરી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે