'વિનાશનું કારણ બનત ભારત-PAK યુદ્ધ', 1000 વર્ષ જૂના આ વિવાદનો અંત લાવવા ટ્રમ્પે કરી પહેલ!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે અમેરિકા હવે ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપાર સંબંધોને "મહત્વપૂર્ણ રૂપથી" વિસ્તૃત કરશે. "જોકે આ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે અમેરિકા બંને દેશો સાથે વેપાર વધારવા જઈ રહ્યું છે."

 'વિનાશનું કારણ બનત ભારત-PAK યુદ્ધ', 1000 વર્ષ જૂના આ વિવાદનો અંત લાવવા ટ્રમ્પે કરી પહેલ!

India Pakistan ceasefire deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે બંને દેશોની "સાહસિક અને નિર્ણાયક" ભૂમિકાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક અને માનવતાવાદી ગણાવ્યું, અને અમેરિકાની ભૂમિકાને "નિર્ણાયક સહયોગી" તરીકે રજૂ કરી..

ટ્રમ્પે જણાવ્યું છે કે આ યુદ્ધ વિનાશનું કારણ બની શક્યું હોત અને લાખો નિર્દોષ લોકો માર્યા ગયા હોત. તેમણે કહ્યું, "મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને નેતૃત્વ પર ગર્વ છે. તેઓ સમયસર સમજી ગયા કે આ સંઘર્ષને રોકવો જરૂરી છે, જેના કારણે લાખો નિર્દોષ લોકોના જીવ બચી ગયા. આ નિર્ણય માત્ર હિંમતવાન જ નથી, પણ આ બંને દેશોના વારસાને વધુ ગૌરવશાળી પણ બનાવે છે."

કાશ્મીર પર જણાવી આ વાત
ટ્રમ્પે કહ્યું કે મને ગર્વ છે કે અમેરિકા તમને આ ઐતિહાસિક અને વીરતાપૂર્વક નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યું. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું, "કદાચ 'એક હજાર વર્ષ' પછી આ ઐતિહાસિક વિવાદનો ઉકેલ શોધવાનો સમય આવી ગયો છે." જોકે ટ્રમ્પ ભૂલી ગયા કે કાશ્મીર અંગે ભારતની સ્પષ્ટ નીતિ એ રહી છે કે તે તેનો આંતરિક મામલો છે.

ટ્રમ્પનો દાવો છે કે આ ઐતિહાસિક નિર્ણય અમેરિકાની મદદથી શક્ય બન્યો હતો. જોકે, આને તેમની રાજદ્વારી છબીને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે ટ્રમ્પ આગામી યુએસ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક બાબતોમાં પોતાની ભૂમિકા ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news