રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારતને સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી અને વૈશ્વિક મંચ પર તેની શાખ અને સક્રિય ભૂમિકાની બિરદાવ્યા. તેમણે ભારત-રશિયા વચ્ચે ખાસ રણનીતિક ભાગીદારીને મજબૂત કરવાનો ભરોસો વ્યક્ત કર્યો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આજે ભારતને સ્વતંત્રતા દિવસે શુભેચ્છાઓ પાઠવી ભરપૂર પ્રશંસા કરી. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદીને મુદ્દો બનાવીને 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ત્યારબાદ બંને દેશો એક સાથે મજબૂતીથી જોવા મળી રહ્યા છે. સ્વતંત્રતા દિવસે આપેલા શુભેચ્છા સંદેશમાં પુતિને ભારત દ્વારા વૈશ્વિક મંચ પર મેળવેલી શાખના ખુબ વખાણ કર્યા. તેમણે ભારતના દુનિયાના મહત્વના મુદ્દાઓને ઉકેલવામાં સક્રિય ભૂમિકા નિભાવવા અંગે પ્રશંસા કરી.
ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા સંદેશ પાઠવતા પુતિને બંને દેશો વચ્ચે 'ખાસ રણનીતિક ભાગીદારી'ને વધુ મજબૂત કરવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પુતિને પોતાના સંદેશમાં કહ્યું કે ભારત દુનિયાના મંચ પર પોતાની બખુબી હાંસલ કરાયેલી શાખને હકદાર છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્વના મુદ્દાઓને ઉકેલવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારત સાથે અમારી ખાસ રણનીતિક ભાગીદારીને ખુબ મહત્વ આપીએ છીએ.
પુતિને પોતાના સંદેશમાં એ પણ ભરોસો વ્યક્ત કર્યો કે રશિયા અને ભારત મળીને દરેક ક્ષેત્રમાં રચનાત્મક સહયોગને વધારશે. તેમણે કહ્યું કે આ અમારા મિત્ર દેશોના લોકોના હિતમાં છે અને ક્ષેત્રિય તથા વૈશ્વિક સ્તર પર સુરક્ષા અને સ્થિરતાને મજબૂત કરવાની દિશામાં છે. પુતિનનું આ નિવેદન ભારત અને રશિયાના ગાઢ સંબંધોને દર્શાવે છે જે આવનારા સમયમાં વધુ મજબૂત થાય એવી આશા છે. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.