Mahakumbh 2025: મહાકુંભમાં NCP ના વરિષ્ઠ નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 શ્રદ્ધાળુ ઠંડીમાં પડ્યા બીમાર

Mahakumbh 2025: મહાકુંભમાં મકર સંક્રાંતિના અમૃત સ્નાન દરમિયાન એનસીપી નેતા મહેશ કોઠેનું નિધન થયું છે. તેમને શાહી સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. કુંભમેળામાં અત્યાર સુધીમાં 3000 થી વધુ શ્રદ્ધાળુઓ બીમાર પડી ચુક્યા છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે.

Mahakumbh 2025: મહાકુંભમાં NCP ના વરિષ્ઠ નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક, 3000 શ્રદ્ધાળુ ઠંડીમાં પડ્યા બીમાર

Mahakumbh 2025: મહાકુંભ મેળામાં મંગળવારે શરદ જૂથના એનસીપી નેતા મહેશ કોઠેનું સ્નાન દરમિયાન નિધન થયું. શાહી સ્નાન દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનો ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. 60 વર્ષીય મહેશ કોઠે મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ગયા હતા. જ્યાં સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. 

Add Zee News as a Preferred Source

મહેશ કોઠે 20 નવેમ્બરે સોલાપુરથી ભાજપના વિજય દેશમુખ વિરુધ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. કોઠેના પરિવારમાં પત્ની અને એક દીકરો છે. હાલ પ્રયાગરાજમાં હાડ ધ્રુજાવે તેવી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાથી અનેક શ્રદ્ધાળુઓ બીમાર પડી રહ્યા છે. 

આ અંગે મળતી જાણકારી અનુસાર 13 જાન્યુઆરીએ કુંભ સ્નાન કર્યા બાદ લગભગ 3000 શ્રદ્ધાળુઓ કેન્દ્રીય હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર લેવા પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે 37 દર્દીઓને ગંભીર હાલત હોવાથી અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. શાહી સ્નાન પછી અત્યાર સુધીમાં 3 લોકોનું નિધન થઈ ચૂક્યું છે. 

મકરસંક્રાંતિના અવસર પર મહા કુંભમાં પહેલું અમૃત સ્નાન કરવામાં આવ્યું. જેમાં સવારે 8:30 કલાકથી અમૃત સ્નાન શરૂ થયું હતું. મહા કુંભમાં મકરસંક્રાંતિ પર 1.38 કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હોવાનું અનુમાન છે. 

મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે મહાકુંભમાં હજારો શ્રદ્ધાળુઓ બિમાર પડી રહ્યા છે. જેના કારણે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news