ભાષાની મર્યાદા ભુલ્યા ઉદ્ધવ કહ્યું યોગીને ચપ્પલ વડે ફટકારવા જોઇએ

ભાજપ સત્તામાં આવ્યા બાદ અહંકારી પાર્ટી બની ચુકી છે, તેનામાં હિન્દુત્વનાં કોઇ લક્ષણો નથી દેખાઇ રહ્યા

ભાષાની મર્યાદા ભુલ્યા ઉદ્ધવ કહ્યું યોગીને ચપ્પલ વડે ફટકારવા જોઇએ

મુંબઇ : મહારાષ્ટ્રમાં ભાજપ સાથે દુશ્મની વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાષાની મર્યાદા પણ ભુલી બેઠા છે. ઠાકરેએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભોગી કહ્યા હતા. ઠાકરે એટલે નહી અટકતા તેમણે કહ્યુ કે વિરારમાં શિવાજીની પ્રતિમાને માલાઅર્પણ દરમિયાન યોગીએ પોતાનાં ચપ્પલ(ખડાઉ) પણ નહોતા ઉતાર્યા. યોગીને ચપ્પલથી મારવા જોઇએ. ઠાકરએએ કહ્યું કે ઇશ્વરનાં પ્રતિરૂપ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ જતા પહેલા પોતાનાં ચપ્પલ ઉતારવા તેમનાં પ્રત્યેનું સન્માન પ્રકટ કરે છે. જો કે યોગીએ તેવું કર્યું નહી. તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય ? આ શિવાજીનુંઅપમાન છે. 

એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં ઉદ્ધવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની યુવા પેઢીમાં હિન્દુત્વનાં આદર્શ નથી ઝલકતા. શિવસેના પ્રમુખને પુછવામાં આવ્યું હતું કે, શું તેમને અફસોસ છે કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનાત પાર્ટી તેમની સહયોગી છે તેનાં જવાબમાં ઉદ્ધવે કહ્યું કે આ દુર્ભાગ્યપુર્ણ છે. કેટલીક બાબતે અફસોસ છે, કારણ કે ભાજપની નવી પેઢીમાં હિન્દુત્વનાં આદર્શો નથી દેખાઇ રહ્યા. 

ઉદ્ધવે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ ભાજપ અહંકારી પાર્ટી બની ચુકી છે. 28 તારીખે યોજાનાર પાલઘર લોકસભા પેટા ચૂંટણી અહંકાર અને વફાદારીની વચ્ચે થશે. તેમણે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ તે અહંકારી થઇ ગઇ છે. પાલઘરની ચૂંટણી બાદ ભાજપને પોતાનું સ્થાન ખબર પડી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news