)
શુક્રવારે ગુજરાતના કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાન સાથે અકસ્માત થયો. વિમાન ઉડાન ભરતાની સાથે જ તેનું એક ટાયર તૂટી ગયું અને જમીન પર પડ્યું. ફ્લાઇટમાં 75 લોકો સવાર હતા. જોકે, સદનસીબે વિમાન મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું. કંડલા એટીસીએ વ્હીલ નીચે પડી ગયાની જાણ કરી, ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી. સાંજે લગભગ ચાર વાગ્યે વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું.
ટાયર જમીન પર પડતાની સાથે જ પાયલોટે સમજદારી દાખવી અને વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી જેથી વિમાનને કોઈપણ રીતે સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકાય. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "12 સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું એક ટાયર ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું, "વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. સરળ ઉતરાણ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સામાન્ય રીતે નીચે ઉતર્યા.''
તાજેતરમાં એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ સમસ્યા આવી હતી
તાજેતરમાં સિંગાપોર જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ સમસ્યા આવી હતી. દિલ્હી એરપોર્ટ પર વિમાનમાં સવાર 200થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કેબિનમાં તાપમાનની સમસ્યાને કારણે તેમને પહેલા વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને પછી લગભગ છ કલાક બાદ ફ્લાઇટે ઉડાન ભરી હતી.