નવી દિલ્હી: જ્યારથી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો રાજ્યસભાના સાંસદના રૂપમાં કાર્યકાળ સમાપ્ત થયો છે, ત્યારે તે મોદી સરકાર પર તીખા સવાલો ઉભા કરી રહ્યા છે. અલગ-અલગ મુદ્દાઓને લઇને સ્વામી પીએમ મોદી પર નિશાન સાધવામાં કોઇ કસર છોડતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 મી ઓગસ્ટ નજીક આવી ગઇ છે. દેશના પીએમ મોદીના ભાષણની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન સ્વામીએ શનિવારે ટ્વીટ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. 


તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કે 2017 માં પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં 15 ઓગસ્ટ 2022 સુધી આ વાયદા પુરા કરવાનું વચન આપ્યું હતું. જેમાં દર વર્ષે 2 કરોડ નવી નોકરીઓ, તમામ માટે ઘરનું ઘર, ખેડૂતોની આવક બમણી કરવી, બુલેટ ટ્રેન તેનું શું થયું? તે આ વર્ષે 15 ઓગસ્ટના ભાષણમાં શું વાયદા કરવા જઇ રહ્યા છે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube