)
Tahawwur Rana extradition: મુંબઈમાં આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણા આખરે ભારત આવી રહ્યો છે. સવાલ એ છે કે એ કયા કરાર હેઠળ શક્ય બન્યું. અસલમાં ભારત અને અમેરિકા વચ્ચે 2023માં થયેલો એક મહત્વનો કરાર 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણનું કારણ બન્યો. આ કરાર હેઠળ બંને દેશોએ પોતાની જમીન પર સક્રિય અપરાધીઓની જાણકારી શેર કરવા પર સહમતિ જતાવી હતી. જેના કારણે છેલ્લા દોઢ વર્ષમાં ભારતે અમેરિકા સાથે રાણા સંલગ્ન અનેક જરૂરી માહિતીઓ શેર કરી હતી.
મહત્વપૂર્ણ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવ્યા
ત્યાર બાદ અમેરિકી એજન્સીઓએ પણ ભારતને મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા. આ દસ્તાવેજોએ રાણાના પ્રત્યાર્પણનો રસ્તો સાફ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તહવ્વુર રાણા મુંબઈ હુમલાના ષડયંત્રાં સામેલ હતો. તે લાંબા સમયથી અમેરિકામાં રહેતો હતો. ભારત તેની વાપસી માટે વર્ષોથી કોશિશ કરતું હતું. પરંતુ 2023ના કરારે આ પ્રક્રિયાને તેજ કરી.
કોર્ટમાં કેસ મજબૂત થયો
આ કરારમાં બંને દેશોએ અપરાધીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા અને એક બીજાની મદદનું વચન આપ્યું હતું. ભારતે રાણા વિરુદ્ધ પુરાવા ભેગા કરીને અમેરિકાને આપ્યા જેના આધારે અમેરિકાની કોર્ટમાં કેસ મજબૂત થયો અને છેલ્લે પ્રત્યાર્પણને મંજૂરી મળી. એક રિપોર્ટ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે તેજી દેખાડતા તહવ્વુર રાણાને ભારત મોકલવાનો નિર્ણય તરત લાગૂ કરી દીધો.
ટ્રમ્પે જાહેરાત કરી હતી
ફેબ્રુઆરી 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી. ત્યારબાદ અમેરિકી સુપ્રીમ કોર્ટે રાણાની અપીલ ફગાવી દીધી જેમાં તેણે ભારતમાં યાતનાઓનો ડર વ્યક્ત કર્યો હતો. રાણા પોતાના મિત્ર ડિવિડ હેડલી સાથે મળીને મુંબઈ હુમલાની યોજનામાં સામેલ હતો. 2009થી તે અમેરિકાની જેલમાં હતો અને ભારત સતત તેના પ્રત્યાર્પણની માંગણી કરતું હતું.