"વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે": ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર

ગાંધીજીએ આજીવન જે વિચારો રજુ કર્યા છે અને તેમણે જે રીતે પોતાનું જીવન વ્યતિત કર્યું છે તે લોકોના માટે એક દૃષ્ટાંત પુરું પાડનારું છે. ગાંધીજીના વિચારોને અપનાવીને તમે પણ સત્ય અને અહિંસના માર્ગે ચાલી શકો છો. 

"વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે": ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર

નવી દિલ્હીઃ દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીની જન્મજયંતી 2 ઓક્ટોબરના રોજ દેશભરમાં મનાવાય છે. ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતી. મહાત્મા ગાંધીને સમગ્ર દુનિયા આજે પણ અહિંસાના પ્રતીક તરીકે ઓળખે છે. ગાંધીજીએ સત્યની શોધમાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. એટલા માટે જ તેમણે પોતાની આત્મકથાને 'સત્યના પ્રયોગો' નામ આપેલું છે. 

ગાંધીજીએ આજીવન જે વિચારો રજુ કર્યા છે અને તેમણે જે રીતે પોતાનું જીવન વ્યતિત કર્યું છે તે લોકોના માટે એક દૃષ્ટાંત પુરું પાડનારું છે. ગાંધીજીના વિચારોને અપનાવીને તમે પણ સત્ય અને અહિંસના માર્ગે ચાલી શકો છો. 

જાણો ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર 
1. એવી રીતે જીવવન જીવો કે તમારે આવતીકાલે મરી જવાનું છે અને શીખો એવી રીતે જાણે કે તમારે કાયમ જીવતા રહેવાનું છે. 
2. ભય શરીરની બિમારી નથી, તે આત્માને મારે છે. 
3. વિશ્વાસ કરવો એક ગુણ છે, અવિશ્વાસ દુર્બળતાની નિશાની છે. 

4. જે સમય બચાવે છે, તે ધન બાચવે છે અને બચાવેલું ધન કમાયેલા ધનની જેમ જ મહત્વપૂર્ણ છે. 
5. આંખના બદલે આંખ, સમગ્ર વિશ્વને આંધળું બનાવી દેશે. 
6. આઝાદીનો કોઈ અર્થ નથી, જો તેમાં ભુલ કરવાની આઝાદી સામેલ હોય. 
7. પહેલા તેઓ તમારા પર ધ્યાન નહીં આપે, પછી તમારા પર હસશે, પછી તમારી સાથે લડશે અને ત્યારે જ તમે વિજય મેળવી શકશો. 

8. પ્રસન્નતા જ એકમાત્ર એવું અત્તર છે, જેને તમે બીજા પર છાંટો છો તો કેટલાંક ટીપાં તમારા ઉપર પણ પડે છે. 
9. વ્યક્તિની ઓળખ તેના કપડાંથી નહીં પરંતુ ચારિત્ર્યથી થાય છે. 
10. તમે જે કોઈ કામ કરો છો તે ઓછું મહત્વનું પણ હોઈ શકે છે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે તમે કંઈક કરો. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news