ભારતનું એકમાત્ર શહેર જ્યાં નોનવેજ ખાવું છે ગુનો! અહીં માત્ર માંસ ખાવું જ નહીં, પણ તેના વિશે વિચારવું પણ માનવામાં આવે છે ગુનો
Pure vegetarian city of India: ભારત વિવિધતાનો દેશ છે જ્યાં દરેક રાજ્ય, દરેક શહેર તેની સંસ્કૃતિ, પરંપરા અને ખોરાક માટે જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું શહેર છે જ્યાં માંસ, માછલી કે ઈંડા વેચવાને ગુનો માનવામાં આવે છે?
Trending Photos
Pure vegetarian city of India: ભારત દેશમાં દરેક રાજ્યની દરેક શહેરની તેની સંસ્કૃતિ, પરંપરા અને ખોરાક માટે ઓળખાય છે, પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું શહેર છે જ્યાં નોનવેજ વેચવાને ગુનો માનવામાં આવે છે? આ શહેરને શુદ્ધ શાકાહારી જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચાર વાંચ્યા પછી, તમને પણ આશ્ચર્ય થશે કે આવું શહેર ખરેખર ભારતમાં અસ્તિત્વમાં છે.
આ અનોખા શહેરનું નામ પાલિતાણા છે, જે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલું છે. પાલિતાણા વિશ્વનું પહેલું શહેર બન્યું છે જ્યાં 100 ટકા શાકાહાર અપનાવવામાં આવ્યો છે. અહીં માંસાહારી ખોરાક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને કોઈ પણ વ્યક્તિ માંસ કે ઈંડા વેચી શકતા નથી.
માંસ વેચવું કે ખાવું કેમ ગુનો છે?
ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને પાલિતાણા શહેરને શુદ્ધ શાકાહારી ક્ષેત્ર જાહેર કર્યું. આ અંતર્ગત, શહેરમાં પ્રાણીઓની હત્યા, માંસ વેચવા અથવા માંસ ખાવા જેવી પ્રવૃત્તિઓને ગુના તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. પાલિતાણાને શુદ્ધ શાકાહારી વિસ્તાર જાહેર કરવા પાછળ એક મોટું કારણ છે, અહીંની ધાર્મિક માન્યતા, જૈન ધર્મના અનુયાયીઓ માટે પાલિતાણા ખૂબ જ પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે.
શત્રુંજયના પહાડ અને જૈન તીર્થધામ
પાલિતાણા નજીક આવેલા શત્રુંજયના પહાડો પર 800થી વધુ જૈન મંદિરો છે. આમાં સૌથી પ્રખ્યાત મંદિર ભગવાન આદિનાથનું છે, જેમને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર માનવામાં આવે છે. દર વર્ષે હજારો જૈન ભક્તો અહીં દર્શન માટે આવે છે. જૈન ધર્મમાં અહિંસા સર્વોચ્ચ માનવામાં આવે છે. જૈન ધર્મમાં પ્રાણીઓની હત્યા અને માંસાહાર ખાવાની સખત મનાઈ છે. આ કારણોસર, પાલિતાણામાં પ્રાણીઓની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
દરેક થાળીમાં શુદ્ધ શાકાહારી ભોજન
પાલિતાણામાં, ફક્ત સ્થાનિક લોકો જ નહીં, પણ અહીં આવતા પ્રવાસીઓ અને ભક્તો પણ શુદ્ધ શાકાહારી ભોજનનો આરોગ કરે છે. અહીં કોઈ પણ હોટલ, ઢાબા કે રેસ્ટોરન્ટમાં માંસાહારી વાનગીઓ મળતી નથી. દરેક થાળીમાં ફક્ત સાત્વિક અને શુદ્ધ શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે.
વિશ્વમાં અનોખી ઓળખ
ખાનગી પોર્ટલે પાલિતાણા પર એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ શહેર વિશ્વનું પહેલું શહેર છે, જ્યાં શુદ્ધ શાકાહારી જીવનશૈલી કાયદેસર રીતે લાગુ કરવામાં આવી છે. આના કારણે પાલિતાણાને હવે સમગ્ર વિશ્વમાં એક અનોખી અને આધ્યાત્મિક ઓળખ મળી છે. આ શહેરમાં માત્ર શુદ્ધ ખોરાક જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિનો પણ અનુભવ થાય છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત, શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લેવા અને તેની સાંસ્કૃતિક વિશેષતાનો અનુભવ કરવા આવે છે.
વહીવટ અને કાયદો પણ કડક
જો કોઈ અહીં માંસાહારી ખોરાક વેચવાનો કે બનાવવાનો પ્રયાસ કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સ્થાનિક વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ નિયમનો કડક અમલ કરે છે. આ જ કારણ છે કે આજ સુધી પાલિતાણામાં કોઈપણ પ્રકારની માંસાહારી પ્રવૃત્તિના સમાચાર મળ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે