હવે ચિંતા કરશો નહીં! કંપનીની મોટો દાવો: કોરોનાના સૌથી ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ પર અસરકારક છે આ દવા

તાજેતરમાં બ્રિટીશ દવા નિર્માતા ગ્લેક્સોસ્મિથક્લાઈ (GlaxoSmithKline) ને દાવો કર્યો છે કે પ્રારંભિક લેબોરેટરીજ પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે કોવિડ -19 સામે તેમની એન્ટિબોડી દવા નવી સુપર મ્યુટન્ટ ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ અસરકારક છે. .

હવે ચિંતા કરશો નહીં! કંપનીની મોટો દાવો: કોરોનાના સૌથી ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ પર અસરકારક છે આ દવા

લંડન: કોરોન વાયરસના સૌથી ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ દરરોજ કોઈને કોઈ દેશમાં પ્રવેશ કરી રહ્યો છે. એવામાં તમામ લોકોની ચિંતાઓ વધતી જઈ રહી છે. આવી સ્થિતિમાં ઘણા દેશોની કોરોના રસી પણ નિષ્ફળ દેખાઈ રહી છે, પરંતુ તાજેતરમાં બ્રિટીશ દવા નિર્માતા ગ્લેક્સોસ્મિથક્લાઈ (GlaxoSmithKline) ને દાવો કર્યો છે કે પ્રારંભિક લેબોરેટરીજ પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે કોવિડ -19 સામે તેમની એન્ટિબોડી દવા નવી સુપર મ્યુટન્ટ ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ અસરકારક છે. .

મોતના ડરને 79% ઓછી કરશે આ દવા
ગ્લેક્સોસ્મિથક્લાઈન (GSK) એ યુએસ પાર્ટનર VIR બાયોટેકનોલોજી સાથે સોટ્રોવિમાબ વિકસાવ્યું છે, જે માનવ દ્વારા પહેલાથી જ બનાવેલા કુદરતી એન્ટિબોડીઝ પર આધારિત મોનોક્લોનલ એન્ટિબોડી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં સોટ્રોવિમાબને 24 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જોખમને 79% સુધી ઘટાડવાનો દાવો કરવામાં આવ્યો છે.

રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓમિક્રોન વેરિયન્ટના સીકવેન્સના આધારે અમારું માનવું છે કે સોટ્રોવિમેબ તરફથી આ વેરિઅન્ટ વિરુદ્ધ સક્રિયતા અને અસરકારક રહેવાની ક્ષમતા છે.' આ સંશોધન પ્રીપ્રિન્ટ સર્વર બાયોર્ક્સીવ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. જો કે આ સંશોધનમાં શરૂઆતી લેબ ટેસ્ટના આધારે ડેટા શેર કરવામાં આવ્યો છે અને હજુ સુધી તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી નથી. કંપનીના જણાવ્યા અનુસાર, આ સંશોધન દર્શાવે છે કે સોટ્રોવિમાબ નવા ઓમિક્રોન SARS-CoV-2 વેરિઅન્ટ (b.1.1.) ના પ્રભાવશાળી મ્યુટન્ટ્સ સામે સક્રિયતા અથવા તો ગતિવિધિને જાળવી રાખે છે.

કંપનીઓ હવે 2021ના અંત સુદી એક અપડેટ આપવાના હેતુથી તમામ ઓમિક્રોન મ્યૂટેશનના સંયોજન વિરુદ્ધ સોટ્રોવિમેબની નિષ્ક્રિય ગતિવિધિની પુષ્ટિ કરવા માટે વિટ્રો સ્યુડો-વાયરસ પરીક્ષણ પૂર્ણ કરી રહ્યાં છે.

દરેક વેરિઅન્ટનો સામનો કરવામાં સક્ષમ
VIR બાયોટેક્નોલોજીના CEO, પીએસડી જોર્જ સ્કેનગોસના એક નિવેદનમાં જણાવ્યું છે કે, "સોટ્રોવિમેબને જાણી જોઈને એક મ્યૂટેટિંગ વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સ્પાઈક પ્રોટીનના સૌથી વધુ પ્રોટેક્ટેડ એરિયાને ટાર્ગેટ કરીને (જેમાં મ્યૂટેન્ટ હોવાની સંભાવના ઓછી છે) અમે વર્તમાન સાર્સ સીઓવી-2 વાયરસ અને ભવિષ્યના વેરિયન્ટનો સામનો કરવામાં આશાસ્પદ છે, જેમાં અમને આશા હતી કે આ જરૂર થશે. અમને આશા છે કે આ પોઝિટિવિટી ચાલું રહેશે અને ઓમિક્રોનના ફૂલ કોમ્બિનેશન સીકવેન્સ વિરુદ્ધ પોતાની સક્રિયતાની પુષ્ટિ કરવા માટે ખુબ ઝડપથી કામ કરી રહ્યા છીએ.

આવી રીતે કામ કરે છે સોટ્રોવિમેબ
તમને જણાવી દઈએ કે જીએસકે અને VIR બાયોટેક્નોલોજી દ્વારા વિકસિત સોટ્રોવિમેબ એક ડોઝવાળી એન્ટીબોડી છે અને આ દવા કોરોના વાયરસના આઉટર કવર પર સ્પાઈક પ્રોટીન સાથે જોડીને કામ કરે છે. તેનાથી આ વાયરસને હ્યૂમન શેલમાં પ્રવેશ કરવાથી રોકી નાંખે છે.

આ લોકો પર કારગર
Jevudy તરીકે માર્કેટિંગ કરાયેલી દવા COVID-19 ના લક્ષણોની શરૂઆતના 5 દિવસની અંદર આપવાની ભલામણ કરવામાં આવે છે. તે દર્શાવે છે કે તે એવા લોકો માટે અસરકારક છે જેમને ઓક્સિજન પૂરકની જરૂરિયાત નથી અને જેમને ગંભીર કોવિડ સંક્રમણ થવાનું જોખમ છે. Sotrovimab ને યુકે મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા 12 વર્ષથી વધુ ઉંમરના, પુખ્ત વયના અને કિશોરો (Symptomatic adults and adolescents above than 12 years)માં તીવ્ર COVID-19 ચેપની સારવાર માટે શરતી માર્કેટિંગ અધિકૃતતા પણ આપવામાં આવી છે. શરતી માર્કેટિંગ પ્રાધિકરણમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news