)
Donald Trump New H1B Visa Policy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પોલિસી પર મોટો ફેરફાર કર્યો છે. હવે નવી પોલિસી પ્રમાણે H-1B વિઝા માટે એક લાખ અમેરિકન ડોલર પ્રતિવર્ષ ફી લગાવવામાં આવશે. ભારતના પૂર્વ રાજદ્વારી અનિલ ત્રિગુણિયતે અમેરિકી રાષ્ટ્રપતિના આ પગલાની ટીકા કરી છે. પૂર્વ ભારતીય રાજદ્વારીએ કહ્યુ કે અમેરિકાના આ નિર્ણયની અસર સીધી ભારત પર પડશે. પરંતુ ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાને બેકફુટ પર લઈ જશે. અનિલ ત્રિગુણિયતે કહ્યુ- મારા વિચારમાં ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાના બેકફુટ પર લાવશે. આજની તારીખમાં ભારત એક એવો દેશ છે જે દુનિયાને પ્રતિભાવાન કર્મચારી આપી રહ્યો છે અને આ આગળ પણ યથાવત રહેશે, કારણ કે એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે.
પૂર્વ રાજદ્વારી અનિલ ત્રિગુણિયતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની H-1B વિઝા નીતિની ટીકા કરી છે. તેમણે આ પાછળનું કારણ વધેલી ફી ગણાવી છે. પૂર્વ રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ નવી H-1B વિઝા નીતિ સ્ટાર્ટઅપ્સ અને નાની ટેક કંપનીઓ માટે વિદેશી કામદારોને નોકરી પર રાખવાનું મુશ્કેલ બનાવશે અને તેની નકારાત્મક અસર પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા માટેની વાર્ષિક ફી વધારીને $100,000 (આશરે રૂ. 88 લાખ) કરી છે. આ પાછળનું કારણ એ છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકનોને નોકરીઓ પૂરી પાડવાનો અને H-1B વિઝાના દુરુપયોગને રોકવાનો છે.
આ નિર્ણયથી ભારતને સૌથી મોટું નુકસાનઃ અનિલ ત્રિગુણિયત
પૂર્વ રાજદ્વારી અનિલ ત્રિગુણિયતે તર્ક આપતા કહ્યુ કે આ પગલું અમેરિકાની સ્પર્ધાત્મક કિંમત પર રેવેન્યુ વધારવાનું લક્ષ્ય રાખે છે તો તે મૂળ રૂપથી તે પ્રયાસ કરી રહ્યાં છે કે ઉદ્યોગમાંથી જેટલા સંભવ હોય એટલા પૈસા કાઢવામાં આવે. ભલે તે આખરે યુનાઇટેડ સ્ટેટ્સના ભોગે આવે, કોર્પોરેશનો માટે $2 મિલિયનમાં ગોલ્ડ કાર્ડ મેળવવાનું અને પછી દરેક H-1B વિઝા માટે $100,000 ચૂકવવાનું મુશ્કેલ બનાવે છે. જેમ તમે જાણો છો, ભારત આ વિઝાનો સૌથી મોટો ઉપયોગકર્તા છે. તેથી, આની સીધી અસર આપણા પર પડશે. આનાથી વિવિધ કંપનીઓ લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં લાવવાને બદલે ઓનલાઈન કામ કરવા દબાણ કરી શકે છે, જે પહેલાથી જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.
નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાન્તનો દાવો
નીતિ આયોગના પૂર્વ સીઈઓ અને પૂર્વ જી20 શેરપા અમિતાભ કાન્તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એચ-1બી વિઝા સુધારને ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે સંભવિત વરદાનના રૂપમાં જુએ છે. અમિતાભ કાન્તે અમેરિકાના રાષ્ટ્રપતિના આ નિર્ણય બાદ દાવો કર્યો કે તેમનો આ નિર્ણય અમેરિકામાં વિદેશી પ્રતિભાઓને દબાવી દેશે અને તેવામાં દુનિયાના આ એક્સપર્ટે ભારતીય તકનીકી કેન્દ્રો જેમ કે હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે, ગુરૂગ્રામ અને નોઇડા તરફ ખેંચીને લાવશે. કાન્તે આગળ કહ્યુ કે અમેરિકાના આ નિર્ણય બાદ ભારતના સર્વશ્રેષ્ઠ ડોક્ટરો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને આઈટી પ્રોફેશનલ્સને ભારતા વિકાસમાં યોગદાન આપવાની તક મળશે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાને નુકસાન અને ભારતને લાભ થશે.