ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ કે લાંબી રાત સુધી ચાલેલી વાતચીત બાદ મને તે જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે ભારત અને પાકિસ્તાન પૂર્ણ અને તત્કાલ યુદ્ધવિરામ પર સહમત થયા છે.

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યુ કે ભારત અને પાકિસ્તાન સીઝફાયર કરવા પર સહમત થયા છે.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ચાલેલી લાંબી ચર્ચા બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી. જોકે, ભારત કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભારતે લીધો છે મોટો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ આતંકવાદી ઘટના થાય તો તેને એક્સ ઓફ વોર એટલે કે યુદ્ધ માનવામાં આવશે. તેવામાં આવનાર સમયમાં ભારત પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ કડક રીતે જવાબ આપશે.
આ ઉપરાંત પાકિસ્તાનના વિદેશ મંત્રીનું એક નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે X પરની તેમની પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ પણ યુદ્ધવિરામ માટે તૈયાર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું, 'પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.' પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.
Over the past 48 hours, @VP Vance and I have engaged with senior Indian and Pakistani officials, including Prime Ministers Narendra Modi and Shehbaz Sharif, External Affairs Minister Subrahmanyam Jaishankar, Chief of Army Staff Asim Munir, and National Security Advisors Ajit…
— Secretary Marco Rubio (@SecRubio) May 10, 2025
અમેરિકાના વિદેશ મંત્રીએ પણ આપી માહિતી
બીજી તરફ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ એક્સ પર પોસ્ટ કરી કે છેલ્લા 48 કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું, 'મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરી છે.' શાંતિનો માર્ગ પસંદ કરવામાં પ્રધાનમંત્રી મોદી અને શરીફની શાણપણ, સમજદારી અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ.