IGNOUમાંથી માસ્ટર્સ કરી રહ્યો હતો, અભ્યાસમાં હોશિયાર, જાણો કેવી રીતે ખૂંખાર આતંકી બન્યો આદિલ હુસૈન ઠોકર

Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ વિવિધ એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી રહી છે. આ વચ્ચે સામે આવ્યું કે આતંકી હુમલાને અંજામ આપવામાં એક સ્થાનીક આતંકવાદી પણ સામેલ હોઈ શકે છે. તમે પણ જાણો કોણ છે આ વ્યક્તિ..

IGNOUમાંથી માસ્ટર્સ કરી રહ્યો હતો, અભ્યાસમાં હોશિયાર, જાણો કેવી રીતે ખૂંખાર આતંકી બન્યો આદિલ હુસૈન ઠોકર

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કાશ્મીરના એક સ્થાનીક નિવાસી આદિલ હુસૈન ઠોકરનું નામ સામે આવ્યું છે. ચોંકાવનારી વાત છે કે આખરે એક હોશિયાર વિદ્યાર્થી કઈ રીતે ખૂંખાર આતંકવાદી બની ગયો. આદિલ ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માં માસ્ટર્સ કરી રહ્યો હતો. તેણે કાશ્મીરની એક સરકારી ડિગ્રી કોલેજમાંથી સ્નાતક પણ કર્યું હતું. એક સમયમાં તે વિદ્યાર્થીઓને ભણાવતો હતો. તેને માસ્તર કહેવામાં આવ્યો હતો, પરંતુ હવે તે પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ બની ગયો છે.

હોનહાર વિદ્યાર્થી ભયંકર આતંકવાદી બન્યો
આદિલના પરિવારનું સપનું હશે કે તેનો પુત્ર સારૂ શિક્ષણ મેળવી તેનું નામ રોશન કરે, પરંતુ તેઓ જાણતા નહોતા કે તેમનો આ પુત્ર એક દિવસ તેમનું નામ ખરાબ કરશે. આદિલ અભ્યાસની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો હતો. તેના પાડોશીઓનું કહેવું છે કે આદિલ વધુ મળતો નહોતો. તે શાંત અને અભ્યાસુ હતો.

પરીક્ષાના બહાને ઘરેથી ભાગ્યો
આદિલના પરિવારજનો પ્રમાણે તે સારી રીતે અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ અચાનક 29 એપ્રિલ 2018ના ઘરેથી લાપતા થઈ ગયો. તેણે પરિવારજનોને જણાવ્યું કે તે એક પેપર આપવા માટે બડગામ ગયો છે, પરંતુ ક્યારેય પરત ફર્યો નહીં. પરિવારજનોએ તેની શોધખોલ કરી પરંતુ કોઈ માહિતી ન મળી. ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આદિલ અભ્યાસના વિઝા લઈ પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યાં તેની મુલાકાત કેટલાક કટ્ટરપંથી નેતાઓ સાથે થઈ, ત્યારબાદ તે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થઈ ગયો હતો.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર આદિલ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. ત્યાં તેને હેન્ડલર બનાવવામાં આવ્યો. તેણે લશ્કરી તાલીમ લીધી અને ભૂગર્ભમાં ગયો. તેની સાથે આતંકવાદીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. તે કાશ્મીરનો સ્થાનિક હોવાથી અને માર્ગો સારી રીતે જાણતો હોવાથી તેણે તેનો લાભ ઉઠાવ્યો અને પૂંચ-રાજૌરી સેક્ટરના દુર્ગમ વિસ્તારોમાંથી એલઓસી પાર કરી. તે તેના સાથી આતંકવાદીઓ સાથે ભારતમાં ઘુસ્યો હતો.

20 લાખનું રાખ્યું ઈનામ
આદિલ ઘણા દિવસ સુધી અનંતનાગમાં છુપાયેલો રહ્યો. તે પોતાના બાકી સાથીઓની સાથે એક મોટા હુમલા માટે તક અને જગ્યા શોધી રહ્યો હતો. આદિલ અનંતનાગથી જ છે. તે ગુરી ગામનો છે, જ્યાં લગભગ 4 હજાર લોકો રહે છે. આદિલ એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેનો એક ભાઈ પેન્ટર અને બીજો ઓટોમાબાઇલ શોરૂમમાં કર્મચારી છે. આદિલના માતા શાહઝાદા બાનો કહે છે કે તેમને વિશ્વાસ થઈ રહ્યો નથી કે તેનો પુત્ર આતંકી ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે જો મારા પુત્રની સંડોવણી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. મહત્વનું છે કે આદિલનું ઘર તોડી પાડવામાં આવ્યું છે અને તેની ધરપકડ માટે 20 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news