પંકજ ચૌધરી બાદ હવે નીતિન નબીન, ભાજપનું ફરી 'સરપ્રાઇઝ ફેક્ટર', જાણો શું છે આ ચોંકાવનારા નિર્ણયનો અર્થ?
Who is Nitin Nabin: ભાજપે એકવાર ફરી 'સરપ્રાઇઝ ફેક્ટર'થી લોકોને ચોંકાવી દીધા છે. પાર્ટીએ બિહાર સરકારમાં મંત્રી નીતિન નબીનને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે આ રીતે લોકોને ચોંકાવવામાં આવ્યા હોય. આ પહેલા પણ પાર્ટી આ પ્રકારના નિર્ણયો લેતી રહી છે.
Trending Photos
)
Nitin Nabin BJP National Working President News: મોદી-શાહના નેતૃત્વમાં ભાજપે એકવાર ફરી પોતાના 'સરપ્રાઇઝ ફેક્ટર'થી લોકોને ચોંકાવી દીધા છે. પાર્ટીએ શનિવારે કુર્મી નેતા પંકજ ચૌધરીને યુપીના પ્રદેશ અધ્યક્ષ જાહેર કરીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા. જ્યારે રવિવારે તેનાથી પણ મોટી જાહેરાત કરીને બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે આ સમાચાર ખૂબ જ ચોંકાવનારા રહ્યા. તેનું કારણ એ છે કે, બિહારની બહાર દેશના રાજકારણમાં તેઓ એટલું ચર્ચિત નામ નહોતા.
કોણ છે નીતિન નબીન, જેઓ બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ?
નીતિન નબીન 45 વર્ષના છે અને તેઓ કાયસ્થ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા નવીન કિશોર સિંહા પણ ભાજપના નેતા રહ્યા છે. તેઓ બાંકીપુરથી 4 વખત ચૂંટાયેલા ધારાસભ્ય છે. હાલમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી, તેમને રાજ્ય સરકારમાં માર્ગ નિર્માણ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને સરળ-સૌમ્ય અને કાર્યકર્તાઓ સાથે મધુર સંબંધો રાખનારા નેતા માનવામાં આવે છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં તેમને પાર્ટીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જ્યાં ભાજપે જબરદસ્ત જીત મેળવી. એવું માનવામાં આવે છે કે, પાર્ટીએ આ જ જીતનું ઇનામ તેમને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવીને આપ્યું છે.
નીતિન નબીને કર્મઠ કાર્યકર્તા તરીકે ઓળખ બનાવી - પીએમ મોદી
નીતિન નબીનને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા પીએમ મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. પીએમએ 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું કે, "નીતિન નબીનજીએ એક કર્મઠ કાર્યકર્તા તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. તેઓ એક યુવા અને મહેનતુ નેતા છે, જેમની પાસે સંગઠનનો સારો એવો અનુભવ છે. બિહારમાં ધારાસભ્ય અને મંત્રી તરીકે તેમનું કાર્ય ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે, સાથે જ જનઆકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમણે સંપૂર્ણ સમર્પણ ભાવથી કામ કર્યું છે. તેઓ પોતાના વિનમ્ર સ્વભાવ સાથે જમીન પર કામ કરવા માટે જાણીતા છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમની ઊર્જા અને પ્રતિબદ્ધતા આવનારા સમયમાં અમારી પાર્ટીને વધુ સશક્ત બનાવશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ તેમને હાર્દિક અભિનંદન."
Shri Nitin Nabin Ji has distinguished himself as a hardworking Karyakarta. He is a young and industrious leader with rich organisational experience and has an impressive record as MLA as well as Minister in Bihar for multiple terms. He has diligently worked to fulfil people’s…
— Narendra Modi (@narendramodi) December 14, 2025
પહેલા પણ નિર્ણયોથી ચોંકાવતી રહી છે પાર્ટી
એવું નથી કે ભાજપે પહેલીવાર આ પ્રકારનો ચોંકાવનારો નિર્ણય લીધો હોય. જો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના મોટા નિર્ણયો પર નજર કરો તો તમને આ પ્રકારનો લાંબો ટ્રેન્ડ જોવા મળશે. મોદી-શાહના નેતૃત્વમાં ભાજપે અવારનવાર આ પ્રકારના નિર્ણયો લેતી રહી છે, જેના વિશે લોકો વિચારી પણ ન શકે.
મધ્યપ્રદેશ ચૂંટણીમાં જંગી જીત પછી પાર્ટીએ તત્કાલીન સીએમ શિવરાજ સિંહને ફરી ન દોહરાવતા મોહન યાદવને સીએમ બનાવ્યા. રાજસ્થાનમાં જ્યારે જીત મળી, ત્યારે વસુંધરા રાજે સિંધિયાની દાવેદારીને નકારીને ભજનલાલને મુખ્યમંત્રી પદની ખુરશી સોંપવામાં આવી. આ જ પરંપરાને આગળ વધારતા પાર્ટીએ છત્તીસગઢ ચૂંટણી જીત્યા પછી રાજ્યના દિગ્ગજ નેતા રમન સિંહના બદલે વિષ્ણુ દેવ સાયને સીએમ જાહેર કર્યા.
પાર્ટીના આ નિર્ણયોએ બતાવ્યું સરપ્રાઇઝ ફેક્ટર
ચોંકાવવાનો આ ક્રમ અહીં જ અટક્યો નહીં. પાર્ટીએ સતત 25 વર્ષથી ઓડિશામાં શાસન કરી રહેલા નવીન પટનાયકને સત્તા પરથી હટાવીને જીત હાંસલ કરી, ત્યારે ફરી આ જ ફેક્ટરનો ઉપયોગ કર્યો. મોદી-શાહે રાજ્ય સાથે જોડાયેલા ધર્મેન્દ્ર પ્રધાન જેવા ચર્ચિત નેતાના બદલે આદિવાસી નેતા મોહન ચરણ માંઝીને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવી દીધા. હવે નીતિન નવીનના રૂપમાં પાર્ટીએ આ વર્ષનું છેલ્લું સરપ્રાઇઝ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યું છે.
ભાજપના આ નિર્ણયના અર્થ સમજો
હવે તમારે આ નિર્ણયનો અર્થ સમજવો જોઈએ. નીતિન નબીનની ઉંમર માત્ર 45 વર્ષ છે અને દેશની 65 ટકા વસ્તી યુવા છે. આવી સ્થિતિમાં નીતિન દ્વારા પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભાજપ માત્ર યુવાનોની વાત જ નથી કરતું પણ તેમને રાજકારણમાં આગળ વધારવામાં પણ કોઈ સંકોચ નથી કરતી.
આ નિર્ણય દ્વારા પાર્ટીએ એ પણ મેસેજ આપ્યો છે કે તે અખિલ ભારતીય સ્તરની પાર્ટી છે અને તેને પોતાનું સર્વોચ્ચ પદ બિહાર જેવા વિકાસશીલ રાજ્યના નેતાઓને પણ આપવામાં કોઈ વાંધો નથી. નીતિન નવીને શાંતિપૂર્વક કામ કરતા છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર જીત અપાવી હતી. હવે નીતિનને મોટું પદ આપીને પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના કાર્યકર્તાઓને ક્યારેય ભૂલતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














