)
How to store Pickles for a Year: ભોજનની થાળીમાં જો અલગ અલગ પ્રકારના અથાણા પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ચાર ગણો વધી જાય છે. સાદી ખીચડી હોય કે પકવાન દરેક વસ્તુ સાથે અથાણું ખાઈ શકાય છે. ઉનાળાની સિઝનમાં અલગ અલગ પ્રકારના અથાણા બને છે. અથાણામાં પણ અઢળક વેરાઈટી હોય છે. મીઠા અથાણાથી લઈને તીખા અને ખાટા અથાણા પણ આ સિઝનમાં બનતા હોય છે. દરેક ઘરમાં આ સિઝનમાં મહિલાઓ અથાણા બનાવે છે અને પછી તેને આખા વર્ષ માટે સ્ટોર કરે છે.
અથાણું એવી વસ્તુ છે જેને આખું વર્ષ ખાઈ શકાય છે કારણ કે તે ખરાબ થતા નથી. પરંતુ જો અથાણું બનાવતી વખતે અને બનાવ્યા પછી સ્ટોર કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો અથાણામાં થોડા જ દિવસમાં ફૂગ દેખાવા લાગે છે. એકવાર જો અથાણા ઉપર ફૂગ થઈ જાય તો પછી અથાણાનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે અને આખા વર્ષ માટે કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. આવું ન થાય તે માટે અહીં દર્શાવેલી પાંચ બાબતોને ધ્યાનમાં રાખી શકો છો. આ પાંચ બાબતોને ફોલો કરી લેશો તો અથાણું ખરાબ પણ નહીં થાય અને તેનો સ્વાદ પણ એવો ને એવો રહેશે.
ગુણવત્તાનું ધ્યાન રાખો
જો આખા વર્ષ માટે તમે અથાણું બનાવતા હોય તો શાક અથવા અથાણાની સામગ્રીની ગુણવત્તા સાથે બાંધછોડ ન કરો. અથાણા માટે સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ લેવી. કેરી, લીંબુ, આમળા, ગાજર, અથાણાના મસાલા બધી જ વસ્તુ ફ્રેશ ખરીદવી અને સારી ગુણવત્તાની ખરીદવી.
માટી અથવા કાચની બરણીમાં ભરો
જો તમે ઈચ્છો છો કે અથાણું આખું વર્ષ એવું ને એવું રહે અને તેનો સ્વાદ પણ ખરાબ ન થાય તો અથાણા બનાવીને કાચની અથવા તો માટીની બરણીમાં ભરો. અથાણાને પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં ભરવાથી તે ઝડપથી ખરાબ થઈ જાય છે અને ફૂગ પણ લાગી જાય છે.
અથાણા ભરતા પહેલા બરણીને સ્ટેરિલાઇઝ કરો
અથાણું જે બરણીમાં ભરવાનું હોય તેને સ્ટેરિલાઇઝ કરવી પણ જરૂરી છે. બરણીને પાણીથી સારી રીતે સાફ કરીને એક દિવસ તડકામાં રાખી બરાબર ચૂકવી લો. ત્યાર પછી બરણીને હિંગ અથવા તો લાલ મરચાંની ધૂણી આપો. આ પ્રક્રિયા કરવાથી અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય.
ફટકડીનો ઉપયોગ કરો
અથાણાને તેલમાં ડુબાડીને રાખવાથી તે ખરાબ થતા નથી. તેથી બરણીને ઉપર સુધી તેલ થી ભરી દેવામાં આવે છે. પરંતુ તમે ઓછા તેલ માં પણ અથાણાને સારી રીતે સ્ટોર કરી શકો છો. વધારે પડતું તેલ નાખવાને બદલે તમે અથાણામાં ફટકડીનો ઉપયોગ કરો. આખા વર્ષ માટે અથાણું બનાવો ત્યારે એક કિલો અથાણા પર અડધી ચમચી ફટકડી પાવડર મિક્સ કરી દો. તેનાથી અથાણું ખરાબ નહીં થાય.
ફૂગથી બચાવશે આ પાવડર
મોટાભાગે અથાણું કારણે ખરાબ થાય છે. અથાણાના ઉપરના ભાગે બરણીમાં ફૂગ જમવા લાગે છે. આ ફૂગ અથાણા ને ખરાબ કરે છે. અથાણાને ફૂગ થી બચાવવા માટે તમે સોડિયમ બેંજોએટ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ પાવડર બજારમાં સરળતાથી મળી રહે છે. એક કિલો અથાણામાં અડધી ચમચી સોડિયમ બેંજોએટ ઉમેરી દેશો તો અથાણામાં ફૂગ નહીં થાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)