)
Post Workout Food: ઓવરઓલ હેલ્થ કેવી રહેશે તેનો આધાર એ વાત પર હોય છે કે દિવસ દરમિયાન તમે કેટલી એક્સરસાઇઝ કરો છો અને કેવી ડાયેટ ફોલો કરો છો. સવારે જાગીને ઘણા લોકો જીમમાં કસરત કરવા જાય છે અથવા તો મોર્નિંગ વોક કરતા હોય છે. પરંતુ કલાકોની મહેનત પછી તેઓ નાસ્તા દરમિયાન એવી વસ્તુઓ ખાઈ લેતા હોય છે જે હેલ્થ મેન્ટેન કરવા માટે કરેલી મહેનત પર પાણી ફેરવી દે છે.
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો તમે સવારના સમયે એક્સરસાઇઝ કરતા હોય તો પછી ખાવા પીવાની વસ્તુ પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક્સરસાઇઝ કર્યા પછી કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ ખાવાથી એક્સરસાઇઝ માટે કરેલી મહેનત બેકાર થઈ જાય છે અને શરીરને કોઈ ફાયદો પણ મળતો નથી.
તળેલી વસ્તુઓ
એક્સરસાઇઝ પછી નાસ્તો કરો તેમાં તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. તળેલી વસ્તુઓમાં અનહેલ્ધી ફેટ હોય છે જે પોષક તત્વોના અવશોષણને સ્લો કરી નાખે છે. તેથી જ ડીપ ફ્રાઈડ વસ્તુઓ ખાવાનું ટાળો. નાસ્તામાં તમે શેકેલી અથવા સાંતળેલી વસ્તુનો સમાવેશ કરી શકો છો. એક્સરસાઇઝ પછી પ્લાન્ટ બેઝ્ડ હેલ્ધી પ્રોટીન નાસ્તામાં સામેલ કરી શકાય છે.
મસાલેદાર વસ્તુઓ
મસાલેદાર અને સ્પાઈસી ફૂડ સ્વાદ તો આપે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આવો આહાર યોગ્ય નથી. ખાસ કરીને એક્સરસાઇઝ પછી નાસ્તામાં મસાલેદાર વસ્તુઓ ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. સવારના સમયે મસાલેદાર નાસ્તો કરશો તો છાતીમાં બળતરાની ફરિયાદ પણ જશે. આ સિવાય કોઈપણ વસ્તુને વધારે મસાલા સાથે પકાવવાથી તેના પોષક તત્વો પણ દૂર થઈ જાય છે.
મીઠાઈ
મીઠી વસ્તુઓ પણ સવારના નાસ્તામાં સામેલ કરવી નહીં. વર્કઆઉટ પછી તુરંત જ આવી વસ્તુ ખાવાથી બધી જ મહેનત પર પાણી ફરી વળશે કારણ કે જે કેલેરી તમે એક્સરસાઇઝ કરીને બાળી હશે તે કેલેરી એકવારમાં જ મીઠી વસ્તુ ખાવાથી વધી જશે.
દારૂ
દારૂ કોઈ પણ સમયે પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે પરંતુ એક્સરસાઇઝ કર્યા પછી જો તમે કોઈપણ પ્રકારના આલ્કોહોલનું સેવન કરો છો તો તે ડીહાઇડ્રેશનનું કારણ બની શકે છે. દારૂ પીવાથી મસલ્સ રીપેર થવામાં સમસ્યા ઊભી થાય છે અને તે હૃદયને પણ નુકસાન કરે છે. એક્સરસાઇઝ કર્યા પછી હંમેશા હર્બલ ટી, પાણી અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર પીણા પીવા જોઈએ.
કાચા શાકભાજી
કાચા શાકભાજીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જો તમે એક્સરસાઇઝ પછી કાચા શાકભાજી ખાશો તો પેટ ફૂલી જવાની ફરિયાદ રહી શકે છે. તેથી નાસ્તામાં હંમેશા બાફેલા કે કુક કરેલા વેજીટેબલનો સમાવેશ કરવો જોઈએ તેનું પાચન સરળતાથી થાય છે. એક્સરસાઇઝ પછી બાફેલા શાકભાજી ખાવા બેસ્ટ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)