શિયાળામાં ફાટવા લાગી છે એડીઓ, મોંઘી ક્રીમ નહીં આ ઘરેલું નુસ્ખા અજમાવો
Home remedies for cracked heels: શિયાળામાં સ્કિન ફાટવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોના પગની એડીઓ એટલી ફાટી જાય છે કે ચાલવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે અમે તમને કેટલાક ઘરેલું નુસ્ખા જણાવી રહ્યાં છીએ..
Trending Photos
)
Winter Tips: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં શરીરની સ્કિન જાડી, ખરબચડી અને તિરાડ દેખાવા લાગે છે. ક્યારેક એવી રીતે સ્કીન ફાટી જાય છે કે ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. યોગ્ય સમયે સાવચેતી ન લેવામાં આવે તો દુખાવો અને ઈન્ફેક્શન થઈ શકે છે. પરંતુ તે માટે તમારે મોંઘી ક્રીમ કે ટ્રીટમેન્ટની જરૂર નથી. ઘરમાં રહેલી કેટલીક વસ્તુથી તમે ફાટેલી એડીઓને નરમ, મુલાયમ અને સુંદર બનાવી શકો છો. તેવામાં આવો જાણીએ શિયાળામાં ફાટેલી એડીઓથી છુટકારો મેળવવા માટે અસરકારક ઘરેલું ઉપાય.
એડી ફાટવાનું કારણ
એડી ફાટવાના ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે લાંબા સમય સુધી ઉઘાડા પહે રહેવું, હંમેશા ખુલ્લા સેન્ડલ કે ચપ્પલ રહેવરા, ઠંડા પાણીમાં લાંબા સમય સુધી રહેવું, પગમાં મોઇસ્ચરાઇઝ ન કરવું, સ્કિન સુકાઈ જવી કે ડિહાઇડ્રેટેડ થવી, જો આ આદતો પર ધ્યાન આપવામાં આવે અને નિયમિત ધ્યાન આપવામાં આવે તો એડીઓને ફાટવાથી રોકી શકાય છે.
તેવામાં ગ્લિસરીન અને લીંબુનો ઘરેલું નુસ્ખો છે જે અસરકારક છે. તે માટે થોડું ગુલાબ જળ, લીંબુનો રસ અને ગ્લિસરીન મિક્સ કરી બોટલમાં રાખો. દરરોજ રાતે સૂવા સમયે પગ અને એડીમાં તેની માલિશ કરો. તેનાથી તમારી સ્કીનનો ભેજ યથાવત રહેશે અને એડીઓ મુલાયમ રહેશે.
જો તમારી એડીઓમાં ભારે તિરાડો હોય, તો મીણ, હળદર અને નાળિયેર તેલમાંથી બનેલો મલમ ખૂબ અસરકારક છે. તેને તૈયાર કરવા માટે, થોડું મીણ ગરમ કરો, પછી ગ્લિસરીન, એક ચપટી હળદર પાવડર અને નાળિયેર અથવા એરંડાનું તેલ ઉમેરો. ઠંડુ થયા પછી, તેને એક કન્ટેનરમાં સ્ટોર કરો. સૂતા પહેલા આ મલમ લગાવો અને મોજાં પહેરો. થોડા દિવસોમાં, તિરાડો રૂઝાઈ જશે, અને તમારી એડી પરની ત્વચા ખૂબ જ નરમ થઈ જશે.
જો તમારી એડીઓ અને પગના પંજા વધુ કડક હોય તો મધ-કેળા-એલોવેરા પેક શાનદાર છે. તેને બનાવવા માટે એક પાકેલું કેળું, એક ચમચી મધ અને થોડું એલોવેરા જેલ લઈ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પગમાં 20 મિનિટ લગાવી રાખો, પછી હળવા હાથે મસાજ કરતા ધોઈલો. સપ્તાહમાં ત્રણ વખત આમ કરવાથી ડેડ સ્કિન નીકળી જશે અને પગની ત્વચા મુલાયમ તથા ચમકદાર બનશે.
કોઈપણ ઉપાય લાગુ કરતાં પહેલાં, તમારી એડીમાંથી મૃત ત્વચા દૂર કરવી જરૂરી છે. આ કરવા માટે, એક ટબને હૂંફાળા પાણીથી ભરો, તેમાં થોડું શેમ્પૂ, મીઠું અને ફટકડી ઉમેરો. તમારા પગને તેમાં 15 મિનિટ સુધી પલાળી રાખો, પછી પ્યુમિસ સ્ટોન અથવા સ્ક્રબરથી હળવા હાથે તમારી એડી સ્ક્રબ કરો. તમે કોફી, મધ, ખાંડ અને નારિયેળ તેલ મિક્સ કરીને કુદરતી સ્ક્રબ પણ બનાવી શકો છો. સ્ક્રબ કર્યા પછી મોઇશ્ચરાઇઝર અથવા તેલ લગાવવાનું ભૂલશો નહીં.
પગને હંમેશા સાફ અને સૂકા રાખો. દરરોજ રાત્રે સૂતા પહેલા કેસ્ટર ઓયલ કે નાળિયેરનું તેલ લગાવી હળવી મસાજ કરો. ખુલ્લા ચપ્પલની જગ્યાએ બંધ ફુટવેર પહેરો. આમ કરવાથી એડીમાં ભેજ રહેશે અને તે ફાટશે નહીં.
એડીઓને ફાટતી રોકવા માટે નાળિયેરના તેલથી સારૂ કોઈ મોઇસ્ચર નથી. તે સ્કિનને ઊંડાણ સુધી ભેજ આપે છે. રાત્રે પગને હળવા ગરમ પાણીધી ધોવો અને પછી નાળિયેરના તેલશી માલિશ કરો. આમ કરવાથી તમારી સ્કિન સારી રહેશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














