)
Lifehacks: સુકા મેવાની વાત આવે તો કાજુ, બદામ, અખરોટ સિવાય અંજીરનો પણ મહત્તમ ઉપયોગ થતો હોય છે. અંજીરને સુકા મેવામાં રાજા કહેવાય છે. અસલી અંજીરનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ બંને જોરદાર હોય છે. પરંતુ જો ભુલથી પણ નકલી અંજીર ખવાય જાય તો તે શરીરને નુકસાન કરી શકે છે. હવે તો માર્કેટમાં નકલી વસ્તુઓ ખુલ્લેઆમ વેંચાતી હોય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે તમે વસ્તુને સારી રીતે ચકાસીને લેવાનું રાખો. આજે તમને જણાવીએ અસલી અને નકલી અંજીર વચ્ચે શું તફાવત હોય છે.
અસલી અને નકલી અંજીરની ઓળખ કેવી રીતે કરવી ?
1. સૌથી પહેલા અંજીરનો રંગ જોવો જોઈએ. જો અંજીરનો ઉપરનો ભાગ વધારે પીળો, ગોલ્ડન અથા ચમકદાર દેખાય છે તો તે અંજીર પર કેમિકલ પ્રોસેસ થઈ હોય તેવું શક્ય છે. અસલી અંજીર લાઈટ બ્રાઉન હોય છે અને વધારે ચમકદાર નથી હોતા.
2. અંજીરની ઓળખ સુગંધથી પણ થઈ શકે છે. અસલી અંજીરમાં થોડી મીઠાશ અને નેચરલ સુગંધ હોય છે. જ્યારે નકલી અંજીરમાંથી વિચિત્ર સ્મેલ આવે છે.
3. અંજીર અસલી છે કે નકલી તેની બનાવટ પરથી પણ જાણી શકાય છે. એક અંજીરને તોડીને જુઓ. જો અંજીર અંદરથી લાલ અથવા મરુન હોય અને તેમાં નાના બીજ પણ હોય તો તે અંજીર અસલી હોય. જો અંજીર અંદરથી પીળા જેવા દેખાય તો તેમાં કેમિકલ યુઝ થયા હોય છે.
4. અસલી અને નકલી અંજીરની ઓળખ હાથમાં લઈને જોઈ શકો છો. અંજીરને હાથમાં લઈ થોડા દબાવો. અસલી અંજીર સોફ્ટ અને થોડા ચીકણા હોય છે. જ્યાકે નકલી અંજીર ટાઈટ, કડક અને ડ્રાય હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)