)
Rice Weevil Removal Tips: ચોખામાં ધનેડા થઈ જાય તે નવાઈની વાત નથી. ઘણીવાર એવું થાય છે કે સ્ટોર કરેલા ચોખામાં ધનેડા થઈ જાય. જો કે ચોખામાંથી ધનેડા કાઢવા મુશ્કેલ કામ લાગે છે. કારણ કે તેમાં સમય વધારે લાગે છે અને બધા જ ચોખાને વીણવા પડે છે. ધનેડા દાળ, ચોખા, ઘઉં સહિતના અનાજ માટે જોખમી છે. આવા ધનેડાને સાફ કરવાની એક અનોખી રીત આજે તમને જણાવીએ.
ચોખામાંથી ધનેડાને ફટાફટ સાફ કરવા હોય અને કલાકોની મહેનતથી પણ બચવું હોય તો તેના માટે આ સિંપલ ટ્રીક ફોલો કરો. આ રીતે ચોખામાંથી ધનેડા આપોઆપ નીકળી જાય છે. આ ટેકનિક ફોલો કરશો તો તમારે ચોખાના એક એક દાણાને વીણવાની જરૂર નહીં પડે.
ચોખામાંથી ધનેડા કાઢવાની રીત
જો તમારા ઘરમાં સ્ટોર કરેલા ચોખામાં ધનેડા થઈ ગયા હોય તો આ ઉપાય અજમાવજો. તેનાથી એકવામાં ધનેડા સાફ થઈ જાય છે તેવો દાવો કરવામાં આવે છે. આ નુસખા અનુસાર ધનેડા પડી ગયા હોય તે ચોખાને એક મોટા પહોળા વાસણમાં કાઢી લેવા. ચોખાને વાસણમાં બરાબર પાથરી લેવા અને પછી તેમાં વચ્ચે વાટકી રહી જાય એવો ખાડો કરવો.
ચોખા વચ્ચે ખાડો કરી તેમાં વાટકી રાખો અને આ વાટકીમાં વિનેગર અને હિંગનો ટુકડો રાખી દો. વિનેગર અને હિંગની તીવ્ર ગંધથી ચોખામાંથી ધનેડા ફટાફટ નીકળવા લાગશે. જેમ જેમ ધનેડા બહાર આવતા જાય તેમ તેને સાઈડ પરથી હટાવતા જવા જેથી તે ઘરમાં રહેલા અન્ય અનાજ સુધી ન પહોંચે. ત્યારબાદ બધા જ ચોખામાં એકવાર હાથ ફેરવી ચેક કરી લો અને ચોખાને થોડા ચાળી ફરીથી સ્ટોર કરી લો.ચોખાને સ્ટોર કરતી વખતે તેના પર હિંગનો ટુકડો રાખી શકો છો. તેની તીવ્ર ગંધથી ધનેડા ચોખાની આસપાસ પણ નહીં ફરકે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)