Ayurvedic Kadha: શરદી, ઉધરસ, કફથી તુરંત રાહત આપે એવા 5 આયુર્વેદિક કાઢા

Ayurvedic Kadha For Cold and Cough: ભારતીય મસાલા શક્તિશાળી છે. શિયાળામાં જો આમાંથી કેટલાક મસાલાને નિયમિત ખાસ રીતે લેવામાં આવે તો શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા દુર થઈ શકે છે. આજે તમને ઘરના રસોડાના મસાલામાંથી બનતા 5 કાઢા વિશે જણાવીએ જે શરદી, ઉધરસ, કફ, ગળામાં દુખાવો જેવી તકલીફમાં તુરંત રાહતનો અનુભવ કરાવશે. 
 

આદુ, તજ અને તુલસી

1/7
image

શરદી અને ઉધરસ મુખ્ય રીતે કફ દોષના કારણે થાય છે. તેથી આ સમસ્યામાં ગરમ, તીખા ગુણ ધરાવતા મસાલા લાભ કરે છે. તેના માટે પાણી અથવા દૂધમાં આદુ, તજ, મરી અને તુલસી ઉમેરી ઉકાળો બનાવી શકો છો.   

તુલસી-આદુ

2/7
image

તુલસી અને આદુ સૌથી ઝડપથી અસર કરે છે. તેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. એક ગ્લાસ પાણીમાં 10 થી 12 તુલસીના પાન અને 1 ઈંચનો આદુનો ટુકડો મિક્સ કરી ઉકાળો બનાવો. આ ઉકાળો દિવસમાં 2 વખત પીવાથી લાભ થાય છે.   

મુલેઠી અને તુલસી

3/7
image

તુલસી અને મુલેઠીનો કાઢો પણ લાભ કરે છે. મુલેઠી ગળાની બળતરાને શાંત કરે છે અને તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉકાળો ગરમ પડી શકે છે તેથી દિવસમાં એક જ વાર આ ઉકાળો પીવો.   

કાળા મરી, લવિંગ અને તજ

4/7
image

કાળા મરી અને લવિંગ સાથે તજ ઉમેરી ઉકાળો બનાવી પી શકાય છે. આ ઉકાળો પણ ગરમ તાસીરનો હોય છે તેનાથી શરદી મટે છે પરંતુ વધારે પ્રમાણમાં આ ઉકાળો પીવો નહીં.   

ગોલ્ડન મિલ્ક

5/7
image

હળદર અને દૂધને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. આ દૂધ શરીરને આરામ આપે છે અને ગળાની તકલીફને શાંત કરે છે.   

ગિલોય અને આદુ

6/7
image

ગિલોય અને આદુનો ઉકાળો પણ શરદી, ઉધરસમાં ફાયદો કરે છે. આયુર્વેદમાં ગિલોયને અમૃત માનવામાં આવે છે. આદુ સાથે ગિલોય લેવાથી ઈન્ફેકશન ઝડપથી મટે છે.  

7/7
image