ગુજરાતમાં અહીં મળી હડપ્પાથી પણ જૂની માનવ સભ્યતા, 9500 વર્ષ પહેલા ડૂબી ગયું હતું આ શહેર!

Old Human Civilisation Found: ઇતિહાસમાં ઘણા ખોવાયેલા શહેરો અને સભ્યતાઓ છે, જેની કહાનીઓ આપણને આશ્ચર્યચકિત કરે છે. આવું જ એક પ્રાચીન શહેર સમુદ્રના ઊંડાણમાં મળી આવ્યું છે, જે આપણી સૌથી જૂની જાણીતી સભ્યતાઓ કરતાં પણ જૂનું માનવામાં આવે છે. ભારતમાં પણ આવી જ એક આશ્ચર્યજનક શોધ થઈ છે, જેણે વિશ્વભરના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, સમુદ્રની નીચે એક ખૂબ જ જૂનું શહેર છે, જે લગભગ 9,500 વર્ષ પહેલાં સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ શહેર સિંધુ ખીણની સભ્યતા કરતાં ઘણું જૂનું હોઈ શકે છે.

1/7
image

આ હેરાન કરનારી શોધ લગભગ બે દાયકા પહેલા વર્ષ 2000માં સામે આવી હતી. જેની સ્ટડી તાજેતરમાં પૂર્ણ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ શોધ ભારત સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી (NIOT)ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી હતી. તેઓ ભારતના પશ્ચિમ કિનારે આવેલા ગુજરાતના ખંભાતના અખાતમાં દરિયાઈ પ્રદૂષણનો સર્વે કરી રહ્યા હતા.

2/7
image

સર્વે દરમિયાન વૈજ્ઞાનિકોએ તેમની સોનાર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. આ ટેકનોલોજીથી સમુદ્રના તળ પર કેટલીક વિચિત્ર વસ્તુઓ દર્શાવી. આ વસ્તુઓ કોઈ શહેરની ઇમારતો અથવા શેરીઓ જેવી દેખાતી હતી, જેનો આકાર નિશ્ચિત હતો.

3/7
image

આ સંરચનાઓથી એવું લાગતું હતું કે, સમુદ્રની નીચે એક ડૂબી ગયેલું શહેર છે. આ સ્થળ પાણીની નીચે લગભગ 120 ફૂટ નીચે સ્થિત છે. તે ભારતના પશ્ચિમ કિનારા પર ગુજરાતના ખંભાતના અખાતની ઊંડાઈમાં સ્થિત છે.

4/7
image

એવો અંદાજ છે કે આ શહેરની લંબાઈ લગભગ 5 માઇલ એટલે કે લગભગ 8 કિલોમીટર અને પહોળાઈ 2 માઇલ એટલે કે લગભગ 3.2 કિલોમીટર સુધી હોઈ શકે છે. વૈજ્ઞાનિકોને અહીંથી માટીના વાસણો, મોતી, મૂર્તિઓ અને ત્યાં સુધી કે માનવ અવશેષો પણ મળ્યા છે.

5/7
image

જ્યારે આ બધી વસ્તુઓની કાર્બન-ડેટિંગ કરવામાં આવી, ત્યારે પરિણામ ખૂબ જ ચોંકાવનારું હતું. એવું જાણવા મળ્યું કે, આ કલાકૃતિઓ લગભગ 9,500 વર્ષ જૂની હતી. આ સમય દર્શાવે છે કે, આ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા કરતાં ઘણી જૂની હોઈ શકે છે.

6/7
image

NIOTના વૈજ્ઞાનિક ડો. બદ્રીનારાયણે જણાવ્યું હતું કે, આ અવશેષો એક એવી સભ્યતાના સંકેતો છે જે છેલ્લા હિમયુગ પછી સમુદ્રનું જળસ્તર વધવાને કારણે પાણીમાં ડૂબી ગઈ હતી. તેમનું માનવું હતું કે, તે ખૂબ જ વિકસિત સભ્યતા હતી.

7/7
image

આજે પણ ખંભાતના અખાતમાં મળેલી આ સભ્યતા વિશે સતત ચર્ચા ચાલી રહી છે. તેના વિશે મળેલી માહિતી ક્યારેય સંપૂર્ણપણે સાચી કે ખોટી કહેવામાં આવી નથી. જો આ શોધ સંપૂર્ણપણે સાબિત થાય છે, તો તે માત્ર ભારતીય ઇતિહાસ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ઇતિહાસ પણ બદલી શકે છે. નોંધ- પ્રતીકાત્મક ફોટો.